સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર ફેલાતા નફરતભર્યા ભાષણો પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે આજકાલ લોકો 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ના નામે દરેક વસ્તુને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એકદમ ખતરનાક છે.
આ ટિપ્પણી જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ ફ્રાન્સિસ વિશ્વનાથનની બેન્ચે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલી વિરુદ્ધ વજાહત ખાન નામની વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી.
બેન્ચે કહ્યું કે દ્વેષપૂર્ણ ભાષણ સામે કાર્યવાહી જરૂરી છે, પરંતુ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે કે કોઈની વાણી સ્વતંત્રતા દબાવવામાં ન આવે. લોકોએ અભિવ્યક્તિના અધિકારનું મહત્વ પણ સમજવું જોઈએ. આ અધિકાર અમૂલ્ય છે.
'નફરત ફેલાવતી સામગ્રી પર અંકુશ હોવો જોઈએ, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ', નફરતભર્યા ભાષણ પર કેન્દ્ર અને રાજ્યોને સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે કે તેઓ હેટ સ્પીચ પર કડક નિયંત્રણ લગાવે. પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને અમૂલ્ય ગણાવી છે.






