રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારના સભ્યો સાથે સૌજન્ય મુલાકાત કરી. Statue of Unity પર યોજાનારા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના પરિવારજનો સાથે ચર્ચા કરી અને તેમને આ અવસર પર શુભકામનાઓ પાઠવી.
આ મુલાકાત રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર પટેલ પ્રત્યે દેશની કૃતજ્ઞતા અને સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. વડાપ્રધાને સરદાર પટેલના વિચારો અને તેમના અખંડ ભારતના સપનાને સાકાર રાખવા માટે સૌને પ્રેરણા લેવાની અપીલ પણ કરી.
કેવડિયા ખાતે આજે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિ સાથે અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને રાષ્ટ્રીય એકતા પરેડના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.






