Home Gujarat Palitana Valukad Rape Case 20 Years Sentence

પાલીતાણા દુષ્કર્મ કેસમાં 2 આરોપીને 20 વર્ષની ફટકારાઈ સજા : 2023માં 16 વર્ષની સગીરા પર આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ

આરોપીઓની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 01, 2026, 08:42 AM IST

ભાવનગર જિલ્લામાંથી એક અત્યંત ગંભીર અને ચકચાર મચાવનાર કેસમાં ન્યાય મળ્યો છે. પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી એક જાણીતી સંસ્થામાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ભાવનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંસ્થાના 62 વર્ષનાં વ્યવસ્થાપક રાઘવ રામજીભાઈ ધામેલીયા અને 40 વર્ષનાં વિનોદ ઉર્ફે વિનુ નટુલાલ ચૌહાણને દોષિત ઠેરવી અદાલતે 20 વર્ષની સજા ફટકારી છે આ સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ ચુકાદો વર્ષ 2023માં બનેલી ઘટનાના અનુસંધાનમાં આવ્યો છે, જેમાં 16 વર્ષીય કિશોરી સાથે અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.આ કેસમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને દલીલોને અદાલતે ખૂબ જ ગંભીરતાથી લીધા હતા. ત્રીજા એડિશનલ સેસન્સ જજે તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા.

આ પણ વાંચો: છેડતી કરનાર રોમિયોને મહિલાએ જાહેરમાં ચખાડ્યો સ્વાદ : અન્ય મહિલાઓએ પણ ભેગા મળી આપ્યો 'મેથીપાક'

નાબાલિકો સામે થતા ગુનાઓને રોકવા માટે કાનૂની પ્રણાલી સજાગ છે અને દોષિતોને કડક સજા આપવામાં આવશે તેવો સંદેશ આ ચુકાદા દ્વારા આપવામાં આવ્યો છે. ખાસ કરીને સંસ્થાઓમાં રહેલા બાળકોની સુરક્ષા અંગે વધુ જવાબદારી નિભાવવાની જરૂરિયાત પણ આ કેસથી સ્પષ્ટ થાય છે. સંસ્થાના સંચાલકો અને જવાબદાર વ્યક્તિઓએ વિશ્વાસનો દુરુપયોગ કરે તો કાયદો તેમને કડક રીતે સજા કરશે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોકમાં વેપારી પર જીવલેણ હુમલો : આંખમાં મરચું નાંખી લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારોથી હુમલો, બજારમાં દોડધામ

આ ચુકાદા પછી સંભવિત રીતે આરોપીઓ દ્વારા ઉપરની અદાલતમાં અપીલ કરવામાં આવી શકે છે, પરંતુ હાલ માટે આ ચુકાદો પીડિતાને ન્યાય આપતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આવા કેસોમાં ઝડપી તપાસ, મજબૂત પુરાવા અને સમયસર સુનાવણી જ ન્યાયપ્રણાલી પર લોકોનો વિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now