Home International Pakistani Defense Minister Said War With India Can Start Anytime

'ભારત સાથે યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે' : જો પાણી બંધ કરવામાં આવ્યું તો.... પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપ્યું નિવેદ

'ભારત સાથે યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે'
Published by: OBS Bureau
Last Updated: May 06, 2025, 06:02 PM IST

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાંએ પાકિસ્તાનને ચિંતામાં મૂકી દીધું છે. બંને દેશો યુદ્ધની અણી પર ઉભા છે. આવતીકાલે ભારતમાં એક યુદ્ધ મોકડ્રીલ યોજાવાનું છે. ભારતની તૈયારીઓ જોઈને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ચિંતામાં પડી ગયા. આ તણાવ વચ્ચે તેમણે ISI મુખ્યાલયની મુલાકાત લીધી.

સુરક્ષા પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી
શાહબાઝ શરીફની સાથે નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર પણ ISI મુખ્યાલય પહોંચ્યા. આર્મી ચીફ અસીમ મનીર અને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ પણ હાજર હતા. પાકિસ્તાનના પીએમઓ અનુસાર પ્રધાનમંત્રીને વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીને પૂર્વીય સરહદ પર ભારત તરફ વધી રહેલા દબાણ અને પરંપરાગત ખતરાઓનો સામનો કરવા માટેની તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી. પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ અને બદલાતા ખતરાના પરિદૃશ્ય પર ચર્ચા કરવામાં આવી. પરંપરાગત લશ્કરી પગલાં અને હાઇબ્રિડ યુદ્ધ વ્યૂહરચના વિશે માહિતી આપવામાં આવી હતી.

ભારત નિયંત્રણ રેખા નજીક ગમે ત્યારે હુમલો કરી શકે છે - આસિફ
બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે ભારત કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) નજીક ગમે ત્યારે લશ્કરી હુમલો કરી શકે છે. આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા પછી બે પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. "એવા અહેવાલો છે કે ભારત નિયંત્રણ રેખા નજીક કોઈપણ જગ્યાએ હુમલો કરી શકે છે"



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video