Home International Oci Card New Rules India 2026

સરકારે પ્રવાસી ભારતીયોના નિયમોમાં કર્યો ફેરફાર : બાળકોથી લઈને વડીલો સુધી પડશે અસર; જાણો શું શું બદલાયું

OCI Card Update
Published by: Viral Patel
Last Updated: May 02, 2026, 02:00 AM IST

OCI Card Update: ગૃહ મંત્રાલયના નવા નાગરિકતા (સુધારા) નિયમ, 2026 હેઠળ OCI સેવાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. ઈ-OCI સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, ડુપ્લિકેટ દસ્તાવેજોની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે અને અરજી નકારવામાં આવે તો અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બાળકો માટે બેવડા પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકીને પ્રક્રિયાને વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવવામાં આવી છે. ચાલો જાણીએ નાગરિકતા (સુધારા) નિયમોમાં શું-શું ફેરફાર થયા છે.

પ્રવાસી ભારતીયો (OCI કાર્ડધારકો) માટે સરકારે નાગરિકતા સંબંધિત પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે એક મોટું કદમ ઉઠાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત ‘નાગરિકતા (સુધારા) નિયમ, 2026’ હેઠળ હવે OCI અને નાગરિકતા સંબંધિત મોટાભાગના કામ ડિજિટલ માધ્યમથી કરી શકાશે. આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી આવતી જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયામાં મોટો ફેરફાર આવવાની અપેક્ષા છે. જાણકારી અનુસાર, અત્યાર સુધી OCI કાર્ડધારકોને રજીસ્ટ્રેશન, દસ્તાવેજો સબમિટ કરવા અને અન્ય ઔપચારિકતાઓ માટે ઘણી વખત સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ આ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન પોર્ટલ દ્વારા પૂર્ણ કરી શકાશે, જેનાથી સમય અને સંસાધનો બંનેની બચત થશે.

આ પણ વાંચો: "પદનો પાવર વાપરીને મેડમ મારી પાસે એવું એવું કરાવતા હતા...!" : જે.પી.મોર્ગનના એક્ઝિક્યુટિવ મહિલા પર જાતીય સતામણીનો આરોપ

ડિજિટલ સિસ્ટમથી પ્રક્રિયા સરળ બનશે

સરકારે OCI સંબંધિત સેવાઓને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા તરફ ડગલું માંડતા ઈ-OCI સિસ્ટમ શરૂ કરી છે. આ હેઠળ હવે અરજદારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે અને તેમને ડિજિટલ સ્વરૂપે પણ OCIનું પ્રમાણ મળી શકશે. આ ફેરફારનો ઉદ્દેશ્ય માત્ર સુવિધા આપવાનો જ નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવાનો પણ છે. ડિજિટલ સિસ્ટમ લાગુ થવાથી અરજીનું સ્ટેટસ ટ્રેક કરવું પણ સરળ બનશે.

હવે આ કામ ઓનલાઈન થશે

નવા નિયમો મુજબ હવે OCI સંબંધિત અનેક મહત્વના કાર્યો ઓનલાઈન કરી શકાશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

1. OCI રજીસ્ટ્રેશન (નોંધણી)

2. OCI કાર્ડ સરેન્ડર (ત્યાગ) કરવાની પ્રક્રિયા

3. અન્ય સંબંધિત સેવાઓ

જોકે, જો કોઈ વ્યક્તિ પોતાનું OCI કાર્ડ છોડી દે છે અથવા સરકાર કોઈ કારણસર તેનો દરજ્જો રદ કરે છે, તો તેણે મૂળ કાર્ડ નજીકના મિશન, પોસ્ટ અથવા FRRO ઓફિસમાં જમા કરાવવું ફરજિયાત રહેશે.

આ પણ વાંચો: સેનાએ ટ્રમ્પને આપ્યાં વિકલ્પો, કયા હથિયારથી કરવો છે હુમલો? : ‘ડાર્ક ઈગલ’ સહિત હાઇટેક હથિયારો ચર્ચામાં, ઈરાન પર હાઈપરસોનિક મિસાઈલોથી હુમલાની USની તૈયારી

ડુપ્લિકેટ દસ્તાવેજોમાંથી મુક્તિ

નવા નિયમોમાં વધુ એક મોટી રાહત આપવામાં આવી છે. હવે અરજદારોએ વારંવાર દસ્તાવેજોની ડુપ્લિકેટ નકલો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. આનાથી પ્રક્રિયા સરળ અને ઓછો સમય લેતી બનશે. આ પગલું ખાસ કરીને વિદેશમાં વસતા લોકો માટે ફાયદાકારક રહેશે, જેમને દર વખતે દસ્તાવેજો મોકલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

બાળકો માટે બદલાયા નિયમ

સરકારે સગીર બાળકો સાથે જોડાયેલા નાગરિકતાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. નવી જોગવાઈ મુજબ, કોઈપણ બાળક એકસાથે ભારતીય પાસપોર્ટ અને અન્ય કોઈ દેશનો પાસપોર્ટ રાખી શકશે નહીં. આ નિયમનો હેતુ નાગરિકતાના મામલામાં સ્પષ્ટતા લાવવાનો અને બેવડી સ્થિતિને ખતમ કરવાનો છે.

આ પણ વાંચો: શું થશે જો અમેરિકા-ઈરાન નહીં પણ ચીન કરી લે હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો? : ભારત પર કેવી થશે અસર?

હવે મળશે અપીલ કરવાનો અધિકાર

નવા નિયમો હેઠળ જો કોઈ વ્યક્તિની OCI અથવા નાગરિકતાની અરજી નકારવામાં આવે છે, તો હવે તેને અપીલ કરવાનો અધિકાર મળશે. આ અપીલની સમીક્ષા સંબંધિત અધિકારીથી એક સ્તર ઉપરના અધિકારી દ્વારા કરવામાં આવશે. આનાથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા અને નિષ્પક્ષતા વધવાની આશા છે.

ડિજિટલ ઈન્ડિયાની દિશામાં મોટું પગલું

સરકારનો આ નિર્ણય Digital India અભિયાન હેઠળ ડિજિટલ સેવાઓના વિસ્તરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આનાથી માત્ર પ્રક્રિયા જ સરળ નહીં થાય, પરંતુ પ્રવાસી ભારતીયોને ઝડપી અને સારી સેવાઓ પણ મળી શકશે. એકંદરે, નવા નાગરિકતા નિયમ 2026 OCI કાર્ડધારકો માટે મોટી રાહત લઈને આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now