છેલ્લા 20 મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 55,000 થી વધુ થઈ ગઈ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે બુધવારે આ અંગે માહિતી આપી હતી. જોકે મંત્રાલયે નાગરિકો અને લડવૈયાઓના અલગ અલગ આંકડા આપ્યા નથી, પરંતુ તેમણે કહ્યું કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.
યુદ્ધ કેમ શરૂ થયું
તમને જણાવી દઈએ કે હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ યુદ્ધ શરૂ થયું હતું. આ હુમલામાં આતંકવાદીઓએ લગભગ 1,200 નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઇઝરાયલે વળતો હુમલો શરૂ કર્યો છે જે આજે પણ ચાલુ છે.






