Surat PSO Sukhdev Vasava : સુરત શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરત મરીન પોલીસમાં ફરજ બજાવતા PSO સુખદેવ વસાવાનું અચાનક મોત થતા પોલીસ બેડામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. 38 વર્ષના સુખદેવ વસાવા રાત્રીના સમયે પોતાની નિયમિત ફરજ પર હતા ત્યારે અચાનક બેભાન થઈ પડ્યા હતા. સાથી કર્મચારીઓ દ્વારા તરત જ તેમને સારવાર માટે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તેમનું મોત નિપજ્યું હતું.
મરીન પોલીસ વિભાગમાં શોકસભર માહોલ
ફરજ દરમિયાન જ સુખદેવ વસાવાની જિંદગીનો અંત આવતા મરીન પોલીસ વિભાગમાં શોકસભર માહોલ છવાઈ ગયો છે. તેમના અચાનક અવસાનથી પરિવારજનોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. પરિવાર માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની છે, કારણ કે તેઓ રોજની જેમ ફરજ પર ગયા હતા અને આવી દુર્ઘટના સર્જાશે તેવી કોઈ કલ્પના નહોતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
PSO સુખદેવ વસાવાના મોતનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના સાચા કારણો સામે આવશે. બીજી તરફ, મરીન પોલીસ વિભાગના સહકર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરજ પ્રત્યે નિષ્ઠાવાન એવા સુખદેવ વસાવાના અચાનક અવસાનથી સમગ્ર પોલીસ વિભાગ અને શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.




















