કર્ણાટકના રાજકીય ચર્ચાઓએ ફરીવાર જોર પકડ્યું છે. સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાના ભાગરૂપે રાજ્યમાં રોટેશનલ CM અથવા વર્ષના અંતમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચાઓ ચાલી રહી છે. "મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે કહ્યું હતું કે," "તે કોંગ્રેસ હાઇકમાન્ડે નક્કી કરવાનું છે". '
સિદ્ધારમૈયાએ નેતૃત્વ પરિવર્તન અંગે ચર્ચાના એક સવાલના જવાબમાં પત્રકારોને કહ્યું, "આ નિર્ણય હાઇકમાન્ડે કરવાનો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. તેમણે અનેક વખત મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
કોંગ્રેસના નેતાઓ શિવકુમારને આગામી મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.
પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓના એક વર્ગે ઘણી વખત શિવકુમારને CM તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મે 2023 માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી, સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદ માટે મુકાબલો જોરદાર હતો. જોકે, કોંગ્રેસ શિવકુમારને સમજાવવામાં સફળ રહી અને તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા.
કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
તે સમયે એવા અહેવાલો હતા કે પાર્ટીમાં "રોટેશનલ મુખ્યમંત્રી" ફોર્મ્યુલાની સમજૂતી થઈ છે અને શિવકુમાર દોઢ વર્ષ પછી મુખ્યમંત્રી બનશે. જોકે, કોંગ્રેસે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. પક્ષના નેતાઓનો એક વર્ગ જે સિદ્ધારમૈયાના નજીકના માનવામાં આવે છે તેઓ મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કરવાની માગ કરી રહ્યા છે. જો કોંગ્રેસે આગામી ચૂંટણીમાં કર્ણાટકમાં સત્તા જાળવી રાખવી હોય તો સિદ્ધારમૈયા પાર્ટી માટે અનિવાર્ય છે.





