Home Tech/Gadgets Jio Sim Deactivation 11 Rupees Recharge Number Save Guide

Jio બંધ કરી રહ્યું છે ઈનએક્ટિવ સિમ : જાણો કેવી રીતે માત્ર 11 રૂપિયામાં બચાવી શક્શો નંબર

jio sim deactivate, how to keep sim active
Published by: Vishal Dave
Last Updated: Apr 26, 2026, 04:30 PM IST

જો તમે પણ Reliance Jioનું એવું સિમ વાપરો છો, જે માત્ર ઇનકમિંગ કોલ્સ માટે જ રાખ્યું છે અને લાંબા સમયથી રિચાર્જ નથી કરાવ્યું, તો હવે સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. તાજેતરના અહેવાલો મુજબ, કંપની ઈનએક્ટિવ સિમને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. એટલે કે, જો સમયસર પગલાં નહીં લો, તો તમારો નંબર કાયમ માટે ગુમાવી શકો છો.

કેમ બંધ થઈ રહ્યા છે ઈનએક્ટિવ Jio સિમ?

ટેલિકોમ ક્ષેત્રમાં નિયમન કરતી સંસ્થા Telecom Regulatory Authority of Indiaના નિયમો અનુસાર, જો કોઈ સિમ લાંબા સમય સુધી (સામાન્ય રીતે 90 દિવસ) સુધી ઉપયોગમાં લેવામાં ન આવે, તો તેને ઈનએક્ટિવ ગણવામાં આવે છે. આવા કેસમાં ટેલિકોમ કંપની પહેલા તમારા બેલેન્સમાંથી કાપણી કરી શકે છે અને ત્યારબાદ સિમને ડિએક્ટિવેટ કરી શકે છે. જો સિમ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે (90 થી 365 દિવસ), તો તે નંબર બીજા ગ્રાહકને ફાળવી દેવામાં આવી શકે છે. એક વાર નંબર અન્ય વ્યક્તિને આપી દેવાય, તો તેને પાછો મેળવવો લગભગ અશક્ય બની જાય છે.

માત્ર ₹11માં બચાવો તમારો નંબર

જો તમે ઓછા ખર્ચમાં તમારો Jio નંબર એક્ટિવ રાખવા માંગો છો, તો ₹11નો રિચાર્જ સૌથી સરળ અને સસ્તો વિકલ્પ છે. આ પ્લાનમાં તમને 1 કલાક માટે અનલિમિટેડ ડેટા મળે છે, પરંતુ તેનો મુખ્ય ફાયદો એ છે કે તે કંપનીને સંકેત આપે છે કે સિમ હજુ પણ ઉપયોગમાં છે. આ રીતે તમારું સિમ ફરીથી 90 દિવસ માટે સક્રિય રહી શકે છે. તમે દરેક 90 દિવસ પહેલાં આ નાનું રિચાર્જ ફરીથી કરી શકો છો અને નંબરને સેફ રાખી શકો છો.

₹189નો પ્લાન: સેફ અને પ્રેક્ટિકલ વિકલ્પ

જો તમે થોડું વધુ સુરક્ષિત વિકલ્પ ઈચ્છો છો, તો ₹189નો પ્લાન યોગ્ય છે. આ પ્લાનમાં તમને 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 2GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી હોવાને કારણે, તમે માત્ર સિમ એક્ટિવ જ નહીં રાખી શકો, પણ તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે તમે આગળના 90 દિવસ સુધી નિશ્ચિંત રહી શકો છો.

₹209 પ્લાન: ડેટા સાથે વધુ સુવિધા

જો તમે થોડું વધુ ઇન્ટરનેટ ઉપયોગ કરવા માંગો છો, તો ₹209નો પ્લાન એક સારો વિકલ્પ બની શકે છે. તેમાં 22 દિવસ માટે દરરોજ 1GB ડેટા મળે છે. આ પ્લાન તમને નિયમિત ઉપયોગ માટે યોગ્ય અનુભવ આપે છે અને સાથે જ સિમને ડિએક્ટિવેટ થવાથી પણ બચાવે છે.

ઈનએક્ટિવ સિમથી શું જોખમ?

ઘણા લોકો સેકન્ડરી સિમ તરીકે Jio નંબર રાખે છે, જેનો ઉપયોગ ફક્ત OTP, બેંકિંગ અથવા ઇનકમિંગ કોલ માટે થાય છે. પરંતુ લાંબા સમય સુધી રિચાર્જ ન કરવાથી આ નંબર ખોવાઈ શકે છે. આથી બેંક એકાઉન્ટ, UPI, સોશિયલ મીડિયા અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓ પર અસર પડી શકે છે. એટલે સમયસર સિમ એક્ટિવ રાખવું અત્યંત જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now