Home Gujarat Jignesh Mevani Visits Juna Deesa Hunger Strike Wasim Chavda

જુના ડીસા ઉપવાસ આંદોલનને જીગ્નેશ મેવાણીનું સમર્થન : હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી લડવાની આપી બાંયધરી

જુના ડીસા ગામે ઉપવાસ પર બેઠેલા વસીમ ચાવડાની મુલાકાત લેતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી
Play Video
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 20, 2026, 05:12 AM IST

Banaskantha News: બનાસકાંઠાના ડીસા તાલુકાના જુના ડીસા ગામે ગામ પંચાયતના છેલ્લા 15 વર્ષના હિસાબ જાહેર કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા વસીમ ચાવડાની વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ઉપવાસી સાથે ચર્ચા કરીને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. જીગ્નેશ મેવાણીએ વસીમ ચાવડાને ઉપવાસ આંદોલન પૂર્ણ કરીને હવે કાયદાકીય રીતે લડત લડવા માટે અપીલ કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર સંબંધિત તમામ દસ્તાવેજો અને પુરાવાઓ સાથે ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની બાંયધરી આપી હોવાનું જણાવ્યું હતું.

રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર પર કર્યા પ્રહાર

મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે જો ગામ પંચાયતના વહીવટમાં કોઈ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયો હશે તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.

15 વર્ષના હિસાબ જાહેર કરવાની મુખ્ય માંગ

ઉપવાસી વસીમ ચાવડાની મુખ્ય માંગ જુના ડીસા ગામ પંચાયતના છેલ્લા 15 વર્ષના નાણાકીય હિસાબ અને વિકાસ કાર્યોની વિગતો જાહેર કરવાની છે. આ મુદ્દે પારદર્શિતા લાવવા માટે તેઓ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થન બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય કાર્યવાહી અને વહીવટી સ્તરે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર રહેશે.

દસ્તાવેજોના આધારે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે જો ગામ પંચાયતના વહીવટમાં ગેરરીતિ કે ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા હશે તો સમગ્ર મામલો કાયદાકીય રીતે આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે માત્ર આંદોલન પૂરતું નહીં પરંતુ દસ્તાવેજી પુરાવાના આધારે જવાબદારો સામે કોર્ટમાં મજબૂત રીતે કેસ લડવામાં આવશે, જેથી સમગ્ર મામલાની સત્યતા સામે આવી શકે.

આ પણ વાંચો: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસની તપાસ માટે SITની રચના : DCP-ACP સહિતની વિશેષ ટીમ કરશે તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સુપરત કરવા પો.કમિશ્નરનો આદેશ

પારદર્શક વહીવટની ઉઠી માંગ

ઉપવાસ આંદોલનને સ્થાનિક લોકોનું પણ સમર્થન મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આંદોલનકારીઓનું કહેવું છે કે ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જળવાય તે માટે છેલ્લા 15 વર્ષના હિસાબ જાહેર થવા જરૂરી છે. હવે આ મામલે વહીવટીતંત્ર શું પગલાં ભરે છે અને આંદોલનનો શું અંત આવે છે તેના પર સ્થાનિક લોકોની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now