Home Gujarat Janmashtami Folk Fair In Porbandar Will Now Continue Tillaugust 20 Traders Demand Accepted

ખુશીના સમાચાર! પોરબંદર જન્માષ્ટમી લોકમેળાને લંબાવવામાં આવ્યો! : ધંધાર્થીઓ અને ચકડોળ ધારકોની માંગણીને ધ્યાને લઈ લેવાયો નિર્ણય

ખુશીના સમાચાર! પોરબંદર જન્માષ્ટમી લોકમેળાને લંબાવવામાં આવ્યો!
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 04:36 AM IST

પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાની મુદત લંબાવવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક દિવસનો વધારો કરીને આ લોકમેળો હવે 19 ઓગસ્ટને બદલે 20 ઓગસ્ટ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ નિર્ણય લોકમેળાના વેપારીઓ અને ચકડોળધારકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લે છે. વેપારીઓએ વધુ એક દિવસનો લાભ મળે તે માટે મહાનગરપાલિકા સમક્ષ વિનંતી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.

મહાપાલિકાના આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ છે. તેમને આશા છે કે એક વધારાના દિવસથી તેમનો ધંધો વધુ સારો થશે અને લોકોને પણ મેળાની મજા માણવાનો વધુ સમય મળશે. આ નિર્ણય પોરબંદરના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now