Home Gujarat Coronas New Threat Cicada Variant Enters 23 Countries Ima Issues Alert

કોરોનાનો નવો વેરિયન્ટ 'સિકાડા' વકર્યો : 23 દેશોમાં દેખાયા કેસ, IMA એ ગુજરાત સહિત દેશભરમાં આપી સતર્કતાની સલાહ

Corona Cicada Variant BA.3.2 Variant
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 11:12 AM IST

ગાંધીનગર: વિશ્વભરમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે નવા વેરિયન્ટ 'સિકાડા' (Cicada) એ ચિંતામાં વધારો કર્યો છે. હાલમાં જ મળેલા અહેવાલો મુજબ, આ નવો વેરિયન્ટ વિશ્વના અંદાજે 23 જેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં પણ આરોગ્ય તંત્ર આ બાબતે સજ્જ બન્યું છે અને ખાસ કરીને ગુજરાતના પાટનગર ગાંધીનગરથી રાજ્યભરના આરોગ્ય વિભાગને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

BA.3.2 વેરિયન્ટ પર નિષ્ણાતોની નજર

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ 'સિકાડા' વેરિયન્ટને BA.3.2 તરીકે ઓળખવામાં આવે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા આ નવા વેરિયન્ટના ફેલાવા અને તેની અસરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ્સ કરતા વધુ ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સંસ્થાઓ સાવધ થઈ ગઈ છે.

IMA ની મહત્વની એડવાઈઝરી અને જીનોમ સિક્વેન્સિંગ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ તમામ તબીબો અને હોસ્પિટલોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે. IMA ના જણાવ્યા અનુસાર, જો કોઈ દર્દીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળે, તો તાત્કાલિક તેનો રિપોર્ટ કરાવો અનિવાર્ય છે. ખાસ કરીને નવા વેરિયન્ટની ઓળખ માટે જીનોમ સિક્વેન્સિંગ (Genome Sequencing) પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ખબર પડી શકે કે વાયરસના સ્વરૂપમાં કેવા પ્રકારના ફેરફાર થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગર છાત્રાલયમાં ઉગ્ર વિરોધ : એવું તો શું થયું કે ABVP ના કાર્યકરો સાથે વદ્યાર્થીઓએ કર્યો હંગામો?

લક્ષણો દેખાય તો ટેસ્ટિંગમાં આળસ ન કરો

જો તમને તાવ, સતત ઉધરસ, ગળામાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય, તો તેને સામાન્ય શરદી-ખાંસી માનીને અવગણવા જોઈએ નહીં. આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે લક્ષણો દેખાતા જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને કોરોના ટેસ્ટ કરાવો. વહેલી તકે નિદાન થવાથી સંક્રમણને ફેલાતું અટકાવી શકાય છે.

ડરવાની જરૂર નથી, માત્ર સતર્કતા જરૂરી

નવા વેરિયન્ટના સમાચાર સાંભળીને લોકોમાં ગભરાટ ફેલાય તે સ્વાભાવિક છે, પરંતુ તબીબોનું કહેવું છે કે અત્યારે ડરવાની નહીં પણ સતર્ક રહેવાની જરૂર છે. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો એ જ આ વાયરસ સામે લડવાના શ્રેષ્ઠ હથિયારો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર પૂરેપૂરી નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now