દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપતા રાજકીય માહોલમાં ચકચાર મચી છે. તેઓએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપીને પદ પરથી રાજીનામું આપતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. એક તરફ સંસદ નું ચોમાસું સત્ર શરુ થયું છે અને સત્રના પ્રથમ દિવસેજ મોડી સાંજે જગદીપ ધનખર રાષ્ટ્રપતિ ને પોતાનું રાજીનામું મોકલી આપતા તર્કવિતર્ક સર્જાયા છે.
જગદીપ ધનખડે 2022માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને તેઓએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ કામગીરી બજાવી છે .
આ નિર્ણય બાદ હવે નવો ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગેની ચર્ચાઓ તેજ બની છે.
સત્તાવાર સ્તરે હજુ તેમની સ્થાને ભૂમિકા સંભાળવા માટે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી, પણ રાજકીય રીતે આ રાજીનામું આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યું છે.






