ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાત્કાલિક અસરથી તેઓના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધિત પત્રમાં, તેમણે સ્વાસ્થ્ય કારણો અને તબીબી સલાહનો ઉલ્લેખ કરીને બંધારણની કલમ 67(a) હેઠળ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ મુર્મુને સંબોધિત રાજીનામામાં, જગદીપ ધનખડે લખ્યું છે કે , 'સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને તબીબી સલાહનું પાલન કરીને, હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.' તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો બદલ આભાર માન્યો. તેમણે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદનો પણ તેમના સહયોગ અને માર્ગદર્શન બદલ આભાર માન્યો.






