ICICI સિક્યોરિટીઝના અહેવાલ મુજબ ભારતીય રેલ્વે (IR) એ તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાની યોજના બનાવી છે. યોજના હેઠળ રેલ્વે 2031 સુધીમાં રૂ. 16.7 લાખ કરોડનું રોકાણ કરશે. અહેવાલ અનુસાર આ રોકાણ રેલ્વે કામગીરીને વધારવા માટે હશે, જેમાં સ્ટેશન અપગ્રેડીંગ, ફ્રેટ કોરિડોર, હાઇ સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ્સ અને ટ્રેકના વીજળીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ANI અનુસાર માળખાકીય સુવિધાઓ વધારવા માટે 16.7 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
મુખ્ય પ્રોજેક્ટ્સમાં 1309 સ્ટેશનોને અપગ્રેડ કરવા ઉપરાંત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC)નું વિસ્તરણ સામેલ હશે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) જેવી મોટી કંપનીઓ આ પ્રોજેક્ટ્સ માટે સાઇન અપ કરીને રેલવેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સતત વધી રહી છે. રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેની ક્ષમતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. લોજિસ્ટિક્સ વધારવા અને પરિવહન ખર્ચ ઘટાડવા માટે સરકાર નવા HSR કોરિડોર અને વધારાના DFCsના અપગ્રેડેશન પર કામ કરી રહી છે.
Indian Railways to invest Rs 16.7L in freight corridors, HSR, station upgrade by 2031: Report
— ANI Digital (@ani_digital) March 26, 2025
Read @ANI Story | https://t.co/0tob1ba6rv#Railways #Development #Station pic.twitter.com/HoDGEgpkaE
3 કોરિડોરનું કામ બાકી
પૂર્વીય અને પશ્ચિમી ડીએફસી પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 3 અન્ય હાલમાં વિકસાવવામાં આવી રહી છે. આ નવા કોરિડોરનો હેતુ નૂર પરિવહનને વધુ કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક બનાવવાનો છે. હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની વાત કરીએ તો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સરકાર વધુ 7 HSR કોરિડોર વિકસાવવાની યોજના ધરાવે છે. જોકે પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે છે. ભારતીય રેલ્વે માટે બજેટની ફાળવણી દર વર્ષે સતત વધી રહી છે.
દર વર્ષે બજેટમાં કરવામાં આવી રહ્યો છે વધારો
નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 1.55 લાખ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2025-26માં 2.65 કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ નક્કી કરવામાં આવ્યું છે. સરકારે સ્ટેશન અપગ્રેડેશન માટે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) માર્ગ પસંદ કર્યો છે. ફેબ્રુઆરી 2024માં 508 સ્ટેશનો પર કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે પૂર્ણ થઈ ગયું છે. બાકીના સ્ટેશનો બનાવવાના બાકી છે.





















