Home International India Uk Trade Deal Pm Modi Warns Enemies Of Democracy Would Not Be Spared Refers To Pahalgam Attack

UK માં PM મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાને લઈ શું કહ્યુ? : ''લોકશાહીના દુશ્મનોને બક્ષવામાં આવશે નહીં''

UK માં PM મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાને લઈ શું કહ્યુ?
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 01:00 PM IST

ભારત અને બ્રિટન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. કરાર પછી મીડિયા સાથે વાત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાનનું સીધું નામ લીધા વિના, તેમણે આકરા પ્રહારો કર્યા હતા કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણોનું પાલન કરી શકાતું નથી. PM મોદી બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે ઐતિહાસિક ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર બંને દેશો માટે વેપાર અને રોકાણના નવા રસ્તા ખોલશે. PM મોદીએ કહ્યું, "જે લોકો લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરીને લોકશાહીને નબળી પાડવા માંગે છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો સ્વીકારી શકાય નહીં."


પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ

PM મોદીએ પત્રકારો સાથે વાત કરતી વખતે પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ યુકે સરકાર અને PM સ્ટાર્મરનો આભાર માને છે અને વચન આપ્યું છે કે યુકે સરકાર આતંકવાદના મુદ્દા પર ભારતની સાથે છે.


વેપાર કરારથી શું ફાયદો થશે?

PM મોદીએ આ કરારને "વહેંચાયેલ સમૃદ્ધિ માટેની યોજના" ગણાવી અને કહ્યું કે આના કારણે કપડાં, જૂતા, એન્જિનિયરિંગ સામાન જેવા ઘણા ભારતીય ચીજ વસ્તુઓ બ્રિટનમાં વધુ વેચાઈ શકશે. આ ઉપરાંત આ કરાર ભારતના ખેડૂતો, માછીમારો, નાના ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે નવી આશાઓ પણ લઈને આવ્યો છે. આ કરાર સાથે ભારતમાં બનેલી જેનેરિક દવાઓ, સર્જિકલ સાધનો, એક્સ-રે મશીનો વગેરે જેવી તબીબી ચીજવસ્તુઓ હવે મોટી સંખ્યામાં વિદેશમાં નિકાસ કરી શકાશે. બ્રિટનથી સારી તબીબી સાધનો હવે ભારતમાં પણ સસ્તા દરે ઉપલબ્ધ થશે


'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન મળશે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ''આ કરાર ભારતના 'મેક ઇન ઇન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ' જેવા અભિયાનોને મજબૂત બનાવશે. જેનાથી રોજગાર વધશે, નિકાસ વધશે અને લોકો સસ્તા અને સારા માલ મેળવી શકશે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video