Home Gujarat Gujarat Tableau Ekta Diwas Sardar Patel 150

મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ રજવાડું સોંપી રચ્યો હતો ઈતિહાસ : ગુજરાતના ટેબ્લોમાં ઐતિહાસિક ક્ષણની ઝાંખી

મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ રજવાડું સોંપી રચ્યો હતો ઈતિહાસ
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 06:20 AM IST

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર એકતા નગર ખાતે યોજાયેલી ‘એકત્વ’ થીમ આધારિત પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ ટેબ્લોમાં ગુજરાતની ઐતિહાસિક ગૌરવગાથા, આધ્યાત્મિક ધરો અને રાષ્ટ્રીય એકતાના પ્રતિકોનું સુંદર સંકલન જોવા મળ્યું.

ટેબ્લોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સાથે ભુજના સ્મૃતિ વન અને સોમનાથના ભવ્ય મંદિરના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા, જેને જોઈ ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક તાળીઓ પાડી પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રદર્શનમાં રાજ્યની કલાત્મક કૌશલ્ય અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય જોવા મળ્યો.

વિશેષ આકર્ષણરૂપે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો — જેમણે સ્વતંત્રતા પછી ભારત દેશમાં વિલયનો પહેલો નિર્ણય લઈને દેશની એકતામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી.

આ સમગ્ર ટેબ્લોએ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેના યોગદાનને જીવંત રૂપ આપ્યું. પરેડ જોતા દર્શકોમાં દેશપ્રેમ અને ગૌરવની લાગણી ઉદ્દભવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!
વડોદરામાં ફરી નદીની બહાર આવ્યો મગર
ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો