Home Gujarat Ahmedabad Gujarat Rain Forecast Ambalal Patel Heavy Rain Alert Monsoon Update June 2026

'તૈયાર રહેજો, વરસાદ હવે દૂર નથી!' : અંબાલાલ પટેલે કરી ભૂક્કા કાઢી નાખતી આગાહી, આ તારીખે ગુજરાતમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા

Ambhalal Patel  Rain  prediction
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 11:54 AM IST

ગુજરાત: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી આકરા તાપ અને ગરમીના કહેર બાદ હવે લાખો નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ, હવે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતમાં સત્તાવાર રીતે પોતાની હાજરી નોંધાવશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોમાં એક નવી આશા જગાવી છે. તેમણે ચોમાસાના આગમન અને વરસાદના વિવિધ રાઉન્ડ અંગે મહત્વની માહિતી આપી છે. ખાસ કરીને રોહિણી નક્ષત્રના અંત અને મૃગશિષ નક્ષત્રની શરૂઆત સાથે વરસાદની ગતિવિધિઓ તેજ બનશે તેવું અનુમાન છે. આ સાથે જ અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પણ હવામાનમાં મોટો ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે.

30 મે થી 4 જૂન સુધી વરસાદી માહોલ

હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર, આજથી એટલે કે 30 મે થી 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, વડોદરા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદની પ્રબળ શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, જે ગરમીથી પીડાતા લોકોને મોટી રાહત આપશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ: 4 જૂન સુધી ગાજવીજ અને 60 કિમીની ઝડપે પવનની આગાહી

8-9 જૂને ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદનું જોર જૂન મહિનાના બીજા સપ્તાહમાં વધશે. 8 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નિષ્ણાતની ચેતવણી મુજબ, અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના માટે તંત્ર અને નાગરિકોએ અગાઉથી સાવચેત રહેવું જરૂરી છે.

ચોમાસાનું સત્તાવાર આગમન અને ખેતી માટે મહત્વ

રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલે 15 જૂન સુધીની સમયરેખા આપી છે. આ ઉપરાંત 19 થી 20 જૂન દરમિયાન રાજ્યમાં અણધાર્યો વરસાદ પડી શકે છે, જ્યારે 23 થી 28 જૂન દરમિયાન સારો વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યના ખેડૂતો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે, કારણ કે 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષે અલનીનોની અસરને કારણે વરસાદનું પ્રમાણ વત્તું-ઓછું રહેવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો: રાજસ્થાનમાં આવ્યું ભયાનક વાવાઝોડું: ઉડી ધૂળની ડમરીઓ, દિવસે વાહનોની લાઈટો ચાલુ કરવાની આવી નોબત


ચોમાસામાં વિલંબ પાછળ શું કારણ?

નિષ્ણાતોના મતે અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત આ વર્ષે અલ નીનોની અસરને કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ વિસ્તારો પ્રમાણે ઓછું-વત્તું રહી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે અને મેઘરાજાના આગમન સાથે લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now