logo-img
Ganesh Visarjan 2025 Shubh Muhurat Know The Correct Date And Time

શુભ મુહૂર્તમાં વિસર્જન કરવાથી મળશે ગણપતિ બાપાના આશીર્વાદ : જાણો વિસર્જન કરવાનું મુહૂર્ત અને મહત્વ

શુભ મુહૂર્તમાં વિસર્જન કરવાથી મળશે ગણપતિ બાપાના આશીર્વાદ
Published by: Offbeat Team
| Last Updated: Sep 06, 2025, 01:30 AM IST

હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્ર મહિનાની શુક્લ ચતુર્થીથી શરૂ થાય છે અને 10 દિવસ સુધી ખૂબ ભક્તિભાવે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ભગવાન ગણેશની ષોડશોપચાર વિધિથી પૂજા કરે છે.

જ્યોતિષીઓ મુજબ વિસર્જનનું મહત્વ
જેમ પૂજામાં ધાર્મિક વિધિઓનું પાલન જરૂરી છે, તેમ વિસર્જન પણ યોગ્ય તિથિ અને શુભ મુહૂર્તમાં કરવું ખૂબ જરૂરી છે. જો વિસર્જન અશુભ સમયે થાય, તો પૂજાના પૂર્ણ ફળ પ્રાપ્ત થતા નથી.

વિસર્જનની શુભ તિથિઓ

  • અનંત ચતુર્દશી – સૌથી શુભ અને પરંપરાગત વિસર્જનનો દિવસ.

  • પંચમી તિથિ – જો વહેલા વિસર્જન કરવાની જરૂર હોય.

  • અષ્ટમી તિથિ – અનુકૂળ અને શુભ વિકલ્પ.

આજના ચોઘડિયા

7:30 AMથી 9:00 AM: શુભ ચોઘડિયું

12:00 PMથી1:30 PM: ચલ ચોઘડિયું

1:30 PMથી3:00 PM: લાભ ચોઘડિયું

3:00 PMથી 4:30 PM: અમૃત ચોઘડિયું

6:00 PMથી 7:30 PM: લાભ ચોઘડિયું

9:00 PMથી 10:30 PM: શુભ ચોઘડિયું

મુખ્ય નિયમ

  • વિસર્જન કરતા પહેલા બાપ્પાની આરતી કરવી જોઈએ.

  • પૂજન સમાપ્ત કરી, ફૂલ-માળા, નૈવેદ્ય અને મીઠાઈઓ અર્પણ કરીને બાપ્પાને વિદાય આપવી.

  • વિસર્જન સમયે “ગણપતિ બાપ્પા મોરિયા” ના જયઘોષ સાથે ભગવાનને વિદાય આપવામાં આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now