ગુજરાતમાં માજી સૈનિકોનું આંદોલન 23મા દિવસે પણ યથાવત રહ્યું છે.ગઇકાલે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી પરંતુ કોઈ સમાધાન ન નિકળતા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેઠા છે. તેમની માંગણીઓનું સુખદ નિરાકરણ ન આવતા મહારેલીનું પણ આયોજન કર્યું હતું, રેલી કરે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી.
માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી
મહારેલીની પરવાનગી ન હોવાના કારણે, પોલીસે આંદોલનને અટકાવવાનો પ્રયાસ કર્યો. સત્યાગ્રહ છાવણીથી કોબા સર્કલ સુધી રેલી શરુ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો તહેનાત છે. રેલીને રોકવા માટે પોલીસ જવાનોને વિવિધ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગાંધીનગરના પ્રવેશ દ્વાર પર પણ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે.

શું હતી માંગણી
સતત 23મા દિવસે કરવામાં આવી રહેલા આંદોલનમાં માજી સૈનિકોની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને 10 ટકા અનામત આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્સ 40 રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તેઓ લઘુતમ લાયકની પ્રક્રિયા દાખલ કરે અને સૈનિકોની જગ્યા પર સૈનિકોનો જ ભરતી કરે તેવી માગણી મૂકી છે.
1. કેન્દ્ર સરકાર દ્વારા નિ retraitted સૈનિકોને 10% અનામત આપવામાં આવે.
2. રાજ્ય સરકાર દ્વારા ભરતી માટેનું મિનિમમ પાસિંગ માર્ક 40 ન રાખવામાં આવે, જે હાલના નિવૃત સૈનિકોને મુશ્કેલી પહોંચાડે છે.
3. જનરલ ભરતી પ્રક્રિયામાં સૈનિકોની જગ્યાએ—માત્ર સૈનિકો ભરતી થવી જોઈએ






