Home Gujarat Elderly Couple Robbed At Knifepoint In Shilaj Ahmedabad

અમદાવાદના શીલજમાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂટ્યા : ત્રણ લૂંટારાએ હીરાજડિત સોનાના દાગીના સહિત 21.91 લાખ રૂપિયાની લૂંટ ચલાવી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ

અમદાવાદના શીલજમાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂટ્યા
Published by: OBS Bureau
Last Updated: Nov 01, 2025, 12:56 PM IST

Ahmedabad Shilaj Robbery: અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધ દંપતીની હત્યા કરવાની ધમકી આપીને ત્રણ શખ્સે હીરાજડિત સોનાના દાગીના સહિત 21.91 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્રણ લૂંટારાએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જાનથી મારી નાખીશું. ભોગ બનનાર 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલોઝમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખની લૂંટની ફરિયાદ કરી હતી. ભરતભાઈ પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદર ખાતે આવેલી ક્રોસમાર્ક ઈનોવેશન નામથી ભાગીદારીમાં ટેક્સટાઈલ મશીનરી બનાવવાનો વેપાર કરે છે. ભરતભાઈ અને પલ્લવીબેન બેડરૂમમાં સૂઈ ગયાં હતાં ત્યારે ભરતભાઈ બાથરૂમ કરવા માટે જાગી ગયા હતા. ભરતભાઈ પરત આવીને સૂઈ ગયા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. જ્યારે ભરતભાઈ જગ્યા ત્યારે તેમની સામે બે અજાણ્યા શખ્સ ઊભા હતા. બન્ને શખ્સના હાથમાં છરો હતો, જેથી ભરતભાઈએ ચોર ચોરની બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે એકદમ એક શખસ છરો લઈને તેમની નજીક આવ્યો હતો અને હિન્દીમાં બોલ્યો હતો કે ‘આવાજ મત કરના, નહીં તો માર દેંગે’. આ દરમિયાન પલ્લવીબેન પણ જાગી જતાં ત્રીજો શખ્સ છરી લઈને આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’. શખ્સે પલ્લવીબેનને કહ્યું હતું કે ‘તિજોરી કહા હૈ વો દીખા’. પલ્લવીબેન ગભરાઈ ગયાં, જેથી તેમને બેડરૂમની તિજોરી બતાવી દીધી અને ખોલી પણ આપી. પલ્લવીબેનની સામે બે શખસે હીરાની બૂટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ, સોનાની બંગડી, હીરાના પ્લેટિનયમ કડા, સોનાનો સેટ, સોનાનો હાર, આઠ સોનાની લગડી, રાડો કંપનીની ઘડિયાળ, લોજીનેસ કંપનીની ઘડિયાળ, એક લાખની રોક્ડ સહિત 21.91 લાખની મતાની લૂંટ કરી હતી. લૂંટારાઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયાં હતાં.ભરતભાઈએ તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે આવતાંની સાથે જ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં સામે આવ્યુ હતું કે ત્રણેય તસ્કરો ડાઈનિંગ ટેબલની બાજુમાં આવેલી બારીનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!
વડોદરામાં ફરી નદીની બહાર આવ્યો મગર
ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો