Ahmdabad Plan: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 99 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 64 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ૨૪ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે ૧૧ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે એમ તેમણે ઉમેર્યું હતું.
ડો.રાકેશ જોશીએ જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં વડોદરાના ૧૧, અમદાવાદના ૧૯, આણંદના ૫, ભરૂચના ૪, ગાંધીનગરના ૫, મહેસાણાના ૪, ખેડાના ૩, સુરતના ૨ તથા બોટાદ, અરવલ્લી, જુનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર અને રાજકોટના ૧ તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના ૧, જોધપુરના ૧ અને મહારાષ્ટ્રના ૨ મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






