Home Gujarat Dahod Zalod Sub Prisoner In Jail Crime Storie

Dahod:જેલમાં કેદીએ કર્યો આપઘાત : ઝાલોદની સબજેલમાં કાચા કામના કેદીએ જીવન ટૂંકાવ્યું,

Dahod:જેલમાં કેદીએ કર્યો આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 08:37 AM IST

દાહોદ જિલ્લાના ઝાલોદ સબજેલમાં એક કાચા કામના કેદીએ આપઘાત કરતા જેલ તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. ઝાલોદના થેરકા ગામના રહેવાસી અને નકલી ચલણી નોટોના ગુનામાં ઝાલોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ આરોપીએ સબજેલની બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

દાહોદ જિલ્લાના ઝાલોદના થેરકા ગામના રહેવાસી શુક્લાભાઈ જવલાભાઈ સંગાડા રાજસ્થાનના આનંદપુરી અને ફતેપુરામાં નકલી નોટના કિસ્સામાં સંડોવાયેલો હતો. હાલ ઝાલોદ સબજેલમાં કાચા કામમાં કેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કાચા કામના કેદી શુક્લાભાઈ જવલાભાઈ સંગાડા એ આજે સબજેલની બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા જેલ તંત્ર તેમજ અન્ય કેદીઓમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત એલસીબીની ટીમ તાત્કાલિક સબજેલ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now