Home Gujarat Surat Vnsgu Exam Postponed April 2026 Gujarati

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : VNSGU એ 4 દિવસની પરીક્ષાઓ કરી કેન્સલ, નવું ટાઈમટેબલ ક્યારે આવશે?

veer narmad south gujarat university
Published by: Chintan Chavda
Last Updated: Apr 05, 2026, 08:38 AM IST

સુરતની Veer Narmad South Gujarat University (VNSGU) દ્વારા આગામી પરીક્ષાઓ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે જાણવો જરૂરી છે.

પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય

યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 25 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન યોજાનારી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની ફરજ અને વ્યવસ્થાપન માટે મોટી સંખ્યામાં માનવબળની જરૂરિયાત રહેતી હોવાથી આ ફેરફાર કરાયો છે.

કયા કોર્સ પર પડશે અસર?

આ નિર્ણયનો પ્રભાવ અનેક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ પર પડશે. જેમાં મુખ્યત્વે B.Com, BBA, BCA, LLB, B.Com LLB, LLM, M.A, M.MS અને Master of Library Science ના હજારો વિદ્યાર્થીઓને આ બદલાવનો સીધો અસર થશે.

બાકીની પરીક્ષાઓ યથાવત

યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે 25 થી 28 એપ્રિલ સિવાયની તમામ પરીક્ષાઓ અગાઉ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ જ લેવામાં આવશે. એટલે અન્ય તારીખોની પરીક્ષાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


આ પણ વાંચો: GUJCETના ઉમેદવારો માટે કામના સમાચાર : ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર, જાણો કઈ રીતે નોંધાવવો વાંધો અને કેટલી છે ફી

નવા સમયપત્રક અંગે સૂચના

મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓ માટેનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અને સૂચનાઓ પર નજર રાખે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now