કોંગ્રેસના એક ધારાસભ્યએ નીતિન ગડકરીને પ્રધાનમંત્રી બનાવવાની માંગ કરી છે. જે માટે તેમણે RSSના વડા મોહન ભાગવતના નિવૃત્તિ નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ RSS વડાના નિવેદનનું સ્વાગત કર્યું અને કહ્યું કે જો આ મુજબ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ પરથી નિવૃત્ત થાય છે, તો ગડકરી પ્રધાનમંત્રી બનવા જોઈએ. તેઓ આ પદ માટે યોગ્ય પસંદગી હશે. તમને જણાવી દઈએ કે મોહન ભાગવતે કહ્યું હતું કે, ''75 વર્ષ પૂર્ણ કર્યા પછી નેતાઓએ સત્તા છોડી દેવી જોઈએ. આ પછી કોંગ્રેસે તેમના પર નિશાન સાધતા કહ્યું કે મોહન ભાગવત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરી રહ્યા છે. નોંધનીય છે કે PM મોદી આ વર્ષે 75 વર્ષના થવાના છે''.
''ગડકરી દેશના ગરીબોની ચિંતા કરે છે''
કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણ કર્ણાટકના સાગર વિધાનસભાના ધારાસભ્ય છે. બેલુર ગોપાલકૃષ્ણએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ''જો ભાગવતની 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ મુજબ PM મોદી પદ છોડે છે, તો નીતિન ગડકરીને આગામી PM બનાવવા જોઈએ''. તેમણે કહ્યું કે, ''ગડકરી પ્રધાનમંત્રી પદ માટે યોગ્ય પસંદગી હશે''. બેલુર ગોપાલકૃષ્ણએ કહ્યું કે, ''ગડકરી દેશના ગરીબ લોકો વિશે વધુ ચિંતિત છે''.
બેલુર ગોપાલકૃષ્ણએ શું કહ્યું?
કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ કહ્યું કે, ''હવે ભાજપે આરએએસ ચીફની ઇચ્છાનું સન્માન કરવું જોઈએ અને વડા પ્રધાન પદ માટે પણ આ જ ફોર્મ્યુલા લાગુ કરવી જોઈએ''. તેમણે કહ્યું કે દેશમાં ગરીબ લોકોની સંખ્યા વધી રહી છે. અમીર વધુ ધનવાન બની રહ્યા છે''. બેલુરે કહ્યું કે, ''દેશની સંપત્તિ થોડા લોકોના હાથમાં જઈ રહી છે. આ જોતાં તેઓ વડા પ્રધાન પદ માટે સૌથી લાયક છે. ભાજપ હાઇકમાન્ડે આ વિશે વિચારવું જોઈએ''.





