એક ચિંતાજનક સમાચાર આવ્યા છે, પરંતુ આ ચિંતાજનક સમાચાર પાકિસ્તાન માટે છે, ભારતીય લોકોમાં આ સમાચાર વાંચીને આત્મવિશ્વાસ વધી જશે. ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજોને એલર્ટ મોડ પર રાખ્યા છે અને અરબી સમુદ્રમાં એન્ટિ-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ફાયરિંગનો અભ્યાસ અને નિરીક્ષણ શરૂ કર્યું છે. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડ પણ તેનાત છે. આપને જણાવી દઈએ કે આ આખી માહિતી સમાચાર એજન્સી ANI તરફથી મળી છે.
Indian Navy carrying out exercises in the Arabian Sea extensively in its Exclusive Economic Zone. Warships on alert against any unusual activity. Multiple anti-ship and anti-aircraft firings have been conducted in the area in recent times. Indian Coast Guard vessels are also…
— ANI (@ANI) May 1, 2025
સમાચાર એજન્સી ANI સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે
ભારતીય નૌકાદળ તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં અરબી સમુદ્રમાં વ્યાપકપણે કવાયત કરી રહ્યું છે. કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ સામે યુદ્ધ જહાજો સતર્ક છે. તાજેતરના સમયમાં આ વિસ્તારમાં અનેક એન્ટી-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ગોળીબાર કરવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજો પણ ગુજરાત દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય
દરિયાઈ સીમા નજીકના આગળના વિસ્તારોમાં તૈનાત છે. ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં જવાબદારીના સમગ્ર ક્ષેત્રમાં હાજરી મજબૂત બનાવી રહ્યું છે: સંરક્ષણ સૂત્રો
અરબી સમુદ્રમાં સતત યુદ્ધાભ્યાસ અને નૌકાદળની તેનાતી શક્યતા છે કે આ વખતે દરિયાઈ માર્ગે પણ આતંકિસ્તાનને જવાબ આપવામાં આવે. શક્યતા એ પણ હોય કે આ માત્ર પાકિસ્તાનનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવતુ હોય. પરંતુ આ તમામ કાર્યવાહીથી પાકિસ્તાનના વળતા પાણીની શરૂઆત થઈ ગઈ છે.





