Home Gujarat Ambaji Danta Road Landslide Heavy Rocks After Rain

અંબાજી જતાં હોવ તો સાવધાન! : અંબાજી-દાંતા રોડ પર અચાનક ભેખડો ધસી! મહાકાય પથ્થરો પડતાં યાત્રાળુઓમાં ભય

Ambaji Temple
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2026, 02:15 PM IST

Ambaji Temple: અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં આવેલ વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી અને દાંતાને જોડતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રે પડેલા વરસાદ બાદ ડુંગરનો ભેખડો ધસી પડવાની ઘટના સામે આવી છે. વરસાદને કારણે ડુંગરની માટી પોચી બનતાં અચાનક મોટા કદના પથ્થરો રોડ પર ખાબક્યા હતા. ઘટનાના પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને યાત્રાળુઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

રસ્તાની વચ્ચે મહાકાય પથ્થરો આવી જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વાહનચાલકોને સાવચેતી સાથે વાહનો પસાર કરવા પડ્યા હતા, જ્યારે કેટલાક વાહનોએ સલામતીના કારણોસર થોડો સમય રસ્તા પર જ રાહ જોવી પડી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આવી ઘટનાઓને લઈને મુસાફરોમાં ચિંતા વધી છે.

24 કલાકમાં બોપલમાં અંદાજે 20 ઇંચ વરસાદ : 20 વર્ષમાં પ્રથમવાર આવી સ્થિતિ; 79 ફરિયાદોનું નિરાકરણ, 47 પર કામગીરી ચાલુ

થોડા વરસાદમાં જ ભેખડો ધસતા સુરક્ષા અંગે પ્રશ્નો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અંબાજી આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં થોડો વરસાદ પડતાં જ ભેખડો ધસવાની ઘટનાઓ જોવા મળે છે. વરસાદી મોસમ દરમિયાન ડુંગરોની માટી ઢીલી પડી જતાં પથ્થરો ખાબકવાનું જોખમ વધી જાય છે. જેના કારણે અંબાજી દર્શન માટે આવતા હજારો યાત્રાળુઓ તેમજ સ્થાનિક મુસાફરો માટે આ માર્ગ જોખમી બની શકે છે. ખાસ કરીને શ્રાવણ માસ, ભાદરવી પૂનમ અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં આ માર્ગ પર વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી આવી સ્થિતિમાં અકસ્માતની સંભાવના પણ વધી જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે વરસાદી સિઝનમાં ડુંગરાળ માર્ગો પર સતત દેખરેખ અને જોખમી સ્થળોએ રક્ષણાત્મક વ્યવસ્થા જરૂરી બની જાય છે.

તંત્ર દ્વારા સાવચેતી રાખવાની જરૂર

સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યાં ભેખડો ધસવાની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોમાં નિયમિત નિરીક્ષણ કરવામાં આવે અને જોખમી પથ્થરોને અગાઉથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો આવી ઘટનાઓ ટાળી શકાય. ઉપરાંત વરસાદી દિવસોમાં માર્ગ પર ચેતવણીના બોર્ડ, બેરિકેડિંગ અને સતત પેટ્રોલિંગ જેવી વ્યવસ્થાઓ પણ જરૂરી બની જાય છે.

ગાંધીનગર: રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની પ્રેસ કોન્ફરન્સ : રાજ્યમાં કુલ 40,500 લોકોનું સ્થળાંતર, 2,637 લોકોનું રેસ્ક્યુ; 5 મૃત્યુ નોંધાયા

અંબાજી તરફ દર્શન માટે આવતા યાત્રાળુઓને પણ વરસાદી વાતાવરણ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન હંકારવાની અને ડુંગરાળ વિસ્તારોમાં અનાવશ્યક રીતે વાહન ઉભું ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા યથાવત રહે તો આવા વિસ્તારોમાં વધુ સતર્ક રહેવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now