રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1227 પર પહોંચી ગઈ છે. હાલમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજ્ય સરકારના આંકડા અનુસાર 1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 175 કેસ નોંધાયા છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






