ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવે છે કે, રાજ્યભરમાં એસ.ટીમાં રોજિંદા 29 લાખ મુસાફરો અપડાઉન કરી રહ્યા છે. અને રાજ્યમાં 8550 થી વધુ બસો ઓન ધ રોડ નિયમિત દોડી રહી છે. ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે અને અમરેલી, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્ય ભરમાં ગુજરાત એસ. ટી તંત્ર દ્વારા કેટલીક ભંગાર અને ખખડધજ બસો ચલાવવામાં આવી રહી છે. જેને સમિતિ સખ્ત શબ્દોમાં વખોડે છે. ચોમાસુ હોય ત્યારે દરેક બસમાં મિરર છે, વાઇપર ચાલુ છે, બ્રેક બરાબર છે કે કેમ તેની તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે વાઇપર વગરની બસ મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન છે. એસ.ટી અમારી સલામત સવારી પરંતુ જવાબદારી તમારી
જામનગર રાજકોટ જામનગર રૂટની જામનગર ડેપો ની બસ નંબર GJ-18Z 6601 રાજકોટ થી બપોરના 3-30 વાગે ઉપડતી આ બસમાં વાઇપર હતું જ નથી અને ડ્રાઇવરને પાછળ વાહન દેખાય તે માટેનો મિરર હોવો જરૂરી છે. પરંતુ મિરર પણ બસમાં ન હોવાને પગલે હાઇવે પર આવી એસ.ટી બસોમાં મુસાફરી કરનારા મુસાફરો અને એસ.ટી બસના ડ્રાઇવર માટે જોખમ છે. આ બસ અંગે હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ જામનગર ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે હવે આ પ્રકારની લાલીયાવાળી ચલાવવામાં આવશે નહીં. ત્યારે ડેપો મેનેજરે કહ્યું હતું કે આ લાલિયાવાડી નથી તો શું છે ? ડેપો મેનેજર એ કહ્યું એકાદ બસમાં આ પ્રકારની ખામી હોય તેને લાલીયાવાડી ન કહી શકાય ડેપો મેનેજરને આ વાત સાથે સમિતિ એટલા માટે સંમત નથી કે અમદાવાદની દુર્ઘટનામાં આ બોઈંગ વિમાન જુનુ અને ખખડધજ હતું અને આ એક વિમાનમાં જ ખામી હતી કારણ કે એકાદ બસમાં પણ શા માટે આવી બેદરકારી અને લાપરવાહી મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપવું જોઈએ.
તોતિંગ ટૂંકા ગાળામાં 35% ભાડા વધારો કરી મુસાફરોના ખીસા ખંખેરી સરકાર વાર્ષિક અંદાજે 1500 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે. એસ.ટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે અને તેમ છતાં હાઇવે પર ભંગાર બસો ચલાવનારાની બેદરકારી અને લાપરવાહી કોઈપણ સંજોગોમાં ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ચલાવી લેશે નહીં જેની દરેક ડેપો મેનેજરો નોંધ લે.
રાજ્ય સરકારે ગુજરાત એસ.ટી ના મુસાફરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા માટે ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે. જે પગલે હાથ ઊંચો કરો અને બસમાં બેસો નહીં ખિસ્સા ખંખેરો અને બસમાં બેસો તેમ છતાં આ પ્રકારની ખખડધજ બસો ચલાવી લાલીયાવાડી ચલાવવામાં આવે તો કેટલે અંશે વ્યાજબી છે ? ગુજરાત એસ.ટીમાં મુસાફરી કરતા તમામ વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા મુસાફરોને જણાવવાનું કે બસમાં બેસીએ ત્યારે બસમાં કોઈ ખામી હોય તો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 પર આધાર પુરાવા સાથે ફરિયાદ કરવી..
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






