Home Gujarat 260 Bodies Handed Over To Relatives Rishikesh Patel Gave Information

260 મૃતદેહોના DNA મેચ : 260 મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા,ઋષિકેશ પટેલે આપી માહિતી

260 મૃતદેહોના DNA મેચ
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 08:46 AM IST

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, તારીખ 12 જુન 2025 ના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા છે અને આ તમામ 241 મૃતકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ એમ કુલ ૨૬૦ મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જે તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ,FSL, AMCની ટીમ , સ્વયં સેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો. આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે તેમ મંત્રીએ જણાવીને આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

વધુ વિગતો આપતા મંત્રી એ જણાવ્યું હતું કે, ઓળખાયેલા 260 મૃતકોમાં 181 ભારતના નાગરિક, 7પોર્ટુગલના, ૫૨(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 19 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 260 પાર્થિવ દેહમાંથી 31 હવાઇ માર્ગે (બાય એર) અને 229 રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે. 254 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જર છે. કુલ 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં 13ની ઓળખ DNA રિપોર્ટથી અને 6 ની ઓળખ ચેહેરાથી કરાઈ છે.

સ્વજનોને સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો જોઇએ તો, ઉદયપુર 7, વડોદરા 24, ખેડા 11, અમદાવાદ 73, મહેસાણા 7, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 29, ભરૂચ 7, સુરત 12, પાલનપુર 12, ગાંધીનગર 7, મહારાષ્ટ્ર 13, દીવ 14, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૩, લંડન ૧૩, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૨, નડિયાદ ૧, બનાસકાંઠા ૨, જામનગર ૨, પાટણ ૪, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, કચ્છ ૧, ખંભાત ૨, મણિપુર ૧, કેરળ ૧ અને મધ્યપ્રદેશના ૧ એમ કૂલ ૨૬૦ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now