દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. દર 10 વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા એક નવું પગાર પંચ રચવામાં આવે છે, જે કર્મચારીઓના પગાર-પેન્શન માળખાને અપડેટ કરે છે. સાતમું પગાર પંચ વર્ષ 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું અને હવે આઠમા પગાર પંચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
2027થી લાગુ થઈ શકે છે 8મું પગાર પંચ
આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કમિશન 2026 ના અંત સુધીમાં તેનો અહેવાલ રજૂ કરશે અને તેનો અમલ 2027 થી થઈ શકે છે. હાલમાં કમિશનના ચેરમેન, સભ્યો અને તેના ટર્મ્સ અને રેફરન્સની જાહેરાત કરવામાં આવી નથી.
કેવી રીતે નક્કી કરવામાં આવે છે પગાર ?
પગાર પંચ "પે મેટ્રિક્સ" ના આધારે પગાર નક્કી કરે છે. આમાં કર્મચારીની સેવા, સ્તર અને ગ્રેડ અનુસાર પગાર નક્કી કરવામાં આવે છે. આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધારીને 2.86 કરી શકાય છે. આની સીધી અસર બેસિક પગાર અને તમામ ભથ્થાઓ પર પડશે.
કેટલો વધી શકે છે પગાર?
જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે તો પગારમાં મોટો ઉછાળો આવશે. જે આ પ્રમાણે હોઈ શકે છે:
લેવલ-1: વર્તમાન પગાર ₹18,000 → નવો પગાર ₹51,480
લેવલ-2: ₹19,900 → ₹56,914
લેવલ-3: ₹21,700 → ₹62,062
લેવલ-6: ₹35,400 → ₹1,00,000+
લેવલ-10 (IAS/IPS અધિકારી): ₹56,100 → ₹1.6 લાખ સુધી
પેન્શનધારકોને પણ થશે ફાયદો
નવા પગાર પંચથી માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ પેન્શનધારકોને પણ ફાયદો થશે. આનાથી નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે. સરકાર નવા પગાર અનુસાર પેન્શનની ફરીથી ગણતરી કરશે. આનો અર્થ એ થયો કે હવે પેન્શન પહેલા કરતા વધુ હશે. આ નિર્ણય એવા પેન્શનધારકો માટે ફાયદાકારક છે જેમને ઘણા વર્ષોથી સમાન રકમનું પેન્શન મળતું હતું.





















