Home International What Is Akhada Of Mahakumbh

મહાકુંભના અખાડાની ગાથા : અખાડા એટલે શું? ક્યારથી થઈ હતી અખાડાઓની શરૂઆત?

મહાકુંભના અખાડાની ગાથા
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:47 PM IST

ભારતમાં વિશ્વનો સૌથી મોટો મેળાવડો મહાકુંભ ચાલી રહ્યો છે. જેનું સૌથી મોટું આકર્ષણ હોય છે અખાડાઓ અને અખાડા સાથે જોડાયેલા સાધુ સંતો. કુંભના સંદર્ભમાં, ઋષિઓ અને સંતોના સમૂહને અખાડા કહેવામાં આવે છે. અખાડા ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો એક ભાગ રહ્યા છે, જેનો મૂળ ઇતિહાસ પણ ખૂબ જૂનો છે અને એટલો જ રસપ્રદ છે.

અખાડા એટલે...
અખાડા સાધુઓનું એ દળ છે જે શાસ્ત્ર અને શસ્ત્ર બંને પ્રકારની વિદ્યાઓમાં પારંગત હોય છે. શાહી સવારી, હાથી-ઘોડાની સજાવટ, ઘંટનાદ, નાગા-અખાડાઓના કરતબ અને તલવાર અને બંદૂનું ખુલ્લેઆમ પ્રદર્શન જ અખાડાઓની ઓળખ છે. ૮મી સદીમાં, આદિ શંકરાચાર્યએ શૈવ, વૈષ્ણવ અને ઉદાસી સંપ્રદાયોના સાધુઓ માટે ૧૩ માન્ય અખાડાઓની સ્થાપના કરી હતી. જેમાં ઋષિમુનિઓને યોગ, આધ્યાત્મિકતા અને શસ્ત્રો પણ શીખવવામાં આવે છે.

અખાડા શબ્દનું ચલણ મોગલકાળથી શરૂ થયું હતું. અખાડા સાથે જોડાયેલા સંતોના પ્રમાણે જે શાસ્ત્રથી નથી માનતા તેમને શસ્ત્રથી મનાવવા માટે અખાડાનો જન્મ થયો હતો. આ અખાડાઓએ સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. આ અખાડાઓનો હેતુ ધાર્મિક પરંપરાઓની સાથે પણ જરૂર પડતા ધર્મ અને પવિત્ર સ્થળોની રક્ષા કરવાની હતો. અખાડાની પોતાની એક વ્યવસ્થા હોય છે. અખિલ ભારતીય અખાડા પરિષદ તમામ અખાડાઓનું સંચાલન કરે છે. અખાડાની આગેવાની કરનારને મહામંડલેશ્વર કહેવામાં આવે છે.

અખાડામાં આવી રીતે મળે પ્રવેશ..
સાધુ બનવા માંગતા સાધકે થોડો સમય અખાડામાં રહીને પોતાની સેવાઓ આપવી પડશે. સેવાનો સમયગાળો 6 મહિનાથી 6 વર્ષ સુધીનો હોઈ શકે છે. તેણે પોતાનું સાંસારિક જીવન છોડી દેવું પડે છે, પોતાનું પિંડદાન કરવું પડે છે અને કઠોર તપસ્યા કરવી પડે છે. અખાડા વ્યક્તિના ઇતિહાસ, કૌટુંબિક પૃષ્ઠભૂમિ અને ચારિત્ર્યની તપાસ કરે છે. આ પછી તે અખાડાના ગુરુ પાસેથી કુંભમાં દીક્ષા મેળવે છે. આ પછી જ તે મેદાનમાં જોડાઈ શકશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક