Crime News: વડોદરાના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પતિના અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ મેળવી હતી. મહિલાના જણાવ્યા મુજબ, તેમના લવ મેરેજ થયા હતા, પરંતુ લગ્ન બાદથી જ પતિ તેમને ઘરમાં પૂરી રાખતો અને બહાર જવા દેતો નહોતો. તે નિર્દોષ બાળકો સાથે પણ અવારનવાર મારઝૂડ કરતો હતો.
વિશેષમાં, મહિલાનો પતિ અંધશ્રદ્ધા અને મંતર-જંતરમાં ભારે વિશ્વાસ ધરાવતો હતો. તે મહિલા પર મેલી વિદ્યા કરતો અને ચારિત્ર્ય પર શંકા પણ કરતો હતો. પતિ એવો વહેમ રાખતો હતો કે, પત્નીએ જ તેના ભાઈઓને મારી નાખ્યા છે અને તેમની આત્માઓ તેની પાછળ ફરે છે, જેથી તે પત્નીને હેરાન કરશે.
"પપ્પા, મને બચાવી લો...": મોત પહેલાં ઘો.12ની ટોપર દીપિકાનો છેલ્લો ફોન, શરીર પર મળ્યા 30થી વધુ ઈજાના નિશાન
અભયમમાં ફરિયાદ થઇ અને સામે આવ્યો મામલો
આ કપરી પરિસ્થિતિમાં ૧૮૧ અભયમની ટીમ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. ટીમે કાયદાકીય સમજણ આપીને પતિનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. અંતે, પતિને સમજાવીને મહિલાને તેમની મરજી મુજબ બાળકો સાથે સહીસલામત પિયર રવાના કરવામાં આવ્યા હતા, જેથી મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પતિ અંધશ્રદ્ધા અને મંતર-જંતરમાં વિશ્વાસ રાખે છે. તેઓ મહિલાની ઉપર મેલી વિદ્યા કરતા હતા અને વારંવાર શંકા પણ કરતા હતા. મહિલાના જણાવ્યા મુજબ, પતિ એવું કહેતા હતા કે “તમે મારા ભાઈઓને મારી નાખ્યા છે અને તેમની આત્માઓ મારા પાછળ ફરે છે, તેથી હું તમને હેરાન કરીશ.” પતિના સતત ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાના પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પતિ તેમને જવા દેતા નહોતા. જેના કારણે મહિલાના પિયર પક્ષે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
ઘણા પોલીસ સ્ટેશનોમાં મહિલા સંબંધિત ફરિયાદોની સંવેદનશીલ હેન્ડલિંગનો અભાવ પણ ચર્ચાનો વિષય રહ્યો છે. જો પ્રારંભિક તબક્કે જ કડક કાર્યવાહી થાય, તો અનેક ગંભીર બનાવોને અટકાવી શકાય. મહિલાઓ માટે અલગ કાઉન્સેલિંગ સેલ, ઝડપી પ્રતિસાદ અને ડિજિટલ ક્રાઈમ માટે વિશેષ યુનિટ જેવી વ્યવસ્થાઓ હવે આવશ્યક બની રહી છે.
પંજાબી સિંગર ઈન્દર કૌરની હત્યાથી ચકચાર: 6 દિવસ પહેલાં અપહરણ થયું, હવે કેનાલમાંથી મળી લાશ
સમાજમાં બદલાવ વગર સમસ્યા હલ થવાની નથી
મહિલાઓની સુરક્ષા માત્ર પોલીસ અથવા કાયદાનો વિષય નથી. તે સમાજના વર્તન, પરિવારની સંસ્કૃતિ અને શિક્ષણ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે યુવકોને બાળપણથી જ “ના” સ્વીકારવાનું, વ્યક્તિગત મર્યાદાનો સન્માન કરવાનું અને મહિલાઓને સમાન વ્યક્તિ તરીકે જોવાનું શીખવવામાં નહીં આવે, ત્યાં સુધી આવી ઘટનાઓ અટકાવવી મુશ્કેલ રહેશે.





