Home Gujarat Vadodara Crime Land Scam Manjalpur Police

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ : મૃત ભાગીદારના નામે નકલી પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી કરોડોની જમીન!

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ
Published by: OBS Bureau
| Last Updated: Mar 19, 2026, 11:18 AM IST

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક સાથે જમીન બાબતે કરોડોની છેતરપિંડી થઈ હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૃત ભાગીદારના નામે ખોટો પાવર ઓફ એટર્ની અને જીવિત ભાગીદારોની નકલી સહીઓ કરી વડસરની કરોડોની જમીન વેચી મારવાના આરોપસર માંજલપુર પોલીસે બે શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શું છે સમગ્ર ઘટના?

ફરિયાદી રમેશભાઈ મણીલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 1992માં તેમણે પોતાના મિત્રો હર્ષદભાઈ ગોરડીયા અને પ્રમોદભાઈ ગોરડીયા સાથે મળીને વડસર ગામની સીમમાં ખેતીની જમીન કાયદેસર રીતે ખરીદી હતી. આ જમીનના રેવન્યુ રેકોર્ડમાં ત્રણેય ભાગીદારોના નામ બોલતા હતા. જોકે, વર્ષ 2024 માં ભાગીદાર હર્ષદભાઈનું અવસાન થતા જ્યારે વારસાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?

તપાસમાં ખુલાસો થયો કે અમદાવાદના હસમુખભાઈ શંકરભાઈ પટેલ અને ભરૂચના નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમારે મેળાપીપણું કરીને જમીનના કૂટ દસ્તાવેજો તૈયાર કર્યા હતા.

આ રીતે કરી છેતરપિંડી

મૃત્યુ પામેલા ભાગીદાર હર્ષદભાઈના નામે ખોટો પાવર ઓફ એટર્ની ઊભો કરાયો. ત્યાર બાદ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં અસલી માલિકોના બદલે અન્ય વ્યક્તિઓના ફોટા ચોંટાડવામાં આવ્યા. જીવિત ભાગીદારોની નકલી સહીઓ કરી અને નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી લેવાયો હતો. જેમાં આશરે રૂ. 1.22 કરોડની કિંમતની જમીન વેચાઈ હોવાનું અને તેની ચુકવણી ચેક દ્વારા થઈ હોવાનું ખોટું દર્શાવી અધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી

પોતાની જ જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાનું જાણી રમેશભાઈએ તાત્કાલિક માંજલપુર પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને કૂટ દસ્તાવેજો બનાવવા અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ કે સરકારી કચેરીના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો: 25 કરોડના રિસ્ટોરેશન બાદ નવી ઓળખ

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક: પોરબંદરના વિકાસને નવી ઊંચાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડાના વિકાસકામોની ભેટ

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક

શું રડવાની સજા મોત?: સુરતમાં કળિયુગી માતાએ 2 વર્ષીય દીકરીનું ઢીમ ઢાળ્યુ!

શું રડવાની સજા મોત?

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?: જાણો ધર્મનાં નામે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ગુરુની અસલી કહાની

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી: વિશ્વાસઘાતના કેસમાં 6 આરોપીઓની ધરપકડ, પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે": કિસાન મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે"

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો: નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ': ગ્રામજનોએ ફોડ્યો ભાંડો! જાણો કોણ છે એ યોગગુરુ જેના આશ્રમમાં છપાતી હતી કરોડો રૂપિયાની નકલી નોટો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ'
Play Video

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ: 800થી વધુ લોકો સામે ફરિયાદ, પોલીસની મોટી કાર્યવાહી

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘જય જોહાર’ના નાદ સાથે કોંગ્રેસના 60 વર્ષના શાસન પર આકરા પ્રહાર!

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!: સરહદી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ, રણમાં સોલાર પેનલો ઉડી જતાં અગરિયાઓ પાયમાલ

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!

World Oral Health Day: ઓરલ કેન્સર સામે અમદાવાદની GDCH બની મજબૂત ઢાલ, પ્રિવેન્ટિવ કેરથી હજારો જીવ બચાવ્યા, 33 જિલ્લાઓમાં ચલાવ્યું ‘મિશન મોડ’ અભિયાન

World Oral Health Day

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ: આ રસ્તા પરથી નીકળશો તો ટ્રાફિકમાં ભરાશો અને ખાવો પડશે ધક્કો, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો: જાણો ગોટાળો કરનાર ગુરુજીનો પહેલી જ ડીલમાં કઈ રીતે ફૂટ્યો ભાંડો

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો
Play Video

Mata ni Pachedi: અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા 'માતાની પછેડી'ને મળ્યો GI ટેગ, જાણો કેવી રીતે આ 'હરતું-ફરતું મંદિર' બન્યું વૈશ્વિક ઓળખ

Mata ni Pachedi

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ: પાડોશી યુવકની ધરપકડ, POCSO હેઠળ ગુનો દાખલ

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અચાનક વાતાવરણમાં પલટો, અટવાયા હજારો માઈભક્તો

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો: અમરાઇવાડીમાં ₹2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સો ઝડપાયા!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો