Home Gujarat Tour Package For Religious Places Of Gujarat Will Be Announced Soon Big Decision Of St Corporation

ST નિગમનો સૌથી મોટો નિર્ણય : ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ટૂંક સમયમાં જાહેર થશે ટુર પેકેજ, જાણો કિંમત અને સ્થળો

ST નિગમનો સૌથી મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2025, 02:19 PM IST

Tourist Circuit In Gujarat: પ્રયાગરાજમાં યોજાતા મહા કુંભ મેળામાં લોકોને લઈ જવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના મોટા શહેરોમાંથી બસ સેવાનું સંચાલન કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં લોકોની માંગને ધ્યાને રાખીને ગુજરાત એસટી નિગમ પણ હકારાત્મક વલણ દાખવી રહ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી રાજ્યના વિવિધ રૂટ પર ટુર સર્કિટ બનાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં વિવિધ રૂટ પર પ્રવાસ સર્કિટ કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યમાં યાત્રાધામો માટે બસ સેવા શરૂ કરવા માંગ કરી હતી.

ટુરિઝમ સર્કિટ શરૂ થશે
લોક માંગને પગલે કોર્પોરેશન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટુર સર્કિટ બનાવવાનું આયોજન કરી રહ્યું છે. રૂટ ફાઇનલ થયા બાદ એક રાત અને બે દિવસના ટૂર પેકેજનું ભાડું આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. જેમાં તમામ રૂટ પર પ્રતિ કિલોમીટરનું કુલ ભાડું, હોટેલ કે ધર્મશાળા ચાર્જ અને અન્ય ચાર્જ નક્કી કરીને ટૂર પેકેજની કિંમત નક્કી કરવામાં આવશે.

પેકેજ વિશે જાણો
ખાસ વાત એ છે કે આ ટૂર પેકેજની કિંમત 2,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સાથે, એવી શક્યતા છે કે આ પ્રવાસ દર અઠવાડિયે એટલે કે શનિવાર અને રવિવારે યોજવામાં આવે. જેથી લોકો સપ્તાહ દરમિયાન પરિવાર સાથે આ રૂટ પર મુસાફરી કરવાનો લાભ મેળવી શકે.

અહીં થશે પર્યન સર્કિટનો શુભારંભ
હરસિદ્ધિ માતાનું મંદિર સૌરાષ્ટ્ર, દ્વારકા, ગીર, સૌરાષ્ટ્ર
દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તિથલ, સેલવાસ
કચ્છમાં માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર
ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી, બહુચરાજી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now