Gujarat Government: ગુજરાત વિધાનસભા ગૃહમાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજના એ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતી યોજના છે. આ યોજના હેઠળ રાજ્યની ૨.૮૪ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે.
મંત્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે વ્હાલી દીકરી યોજના હેઠળ સહાય આપવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૭૪૩.૪૭ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૪૧,૮૪૩ દીકરીઓની સહાય મંજૂર કરવામાં આવી છે.
આ સંદર્ભે છેલ્લાં એક વર્ષમાં મેહસાણા જિલ્લામાં ૧,૭૩૩ અરજી, આણંદ જિલ્લામાં ૨,૦૮૪ અને પાટણ જિલ્લામાં ૧,૧૦૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો!: બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કદાવર નેતાની ધરપકડ






