ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ પૂરી થતા રાજ્ય સરકારે આ મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂંક કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર સહિતના શહેરોમાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે.
▪️અમદાવાદ મનપામાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારની નિમણૂંક.
▪️વડોદરા મનપામાં GUVNLના એમડી શાલિની અગ્રવાલની નિમણૂંક.
▪️સુરત મનપામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની કરાઈ નિમણૂંક.
▪️ભાવનગર મનપામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલની નિમણૂંક. આ ઉપરાંત જામનગર અને રાજકોટ મનપામાં પણ રાજ્ય સરકારે વહીવટદારોની નિમણૂક કરી.



















