Home Gujarat Tarlochan Singhs Big Statement On Gujarat Riots

'નરેન્દ્ર મોદીએ જો આ કામ ના કર્યું હોત, તો ભડકે બળ્યું હોત ગુજરાત' : તરલોચન સિંહનું ગુજરાતના રમખાણો પર મોટુ નિવેદન

'નરેન્દ્ર મોદીએ જો આ કામ ના કર્યું હોત, તો ભડકે બળ્યું હોત ગુજરાત'
Published by: OBS Bureau
Last Updated: Aug 27, 2025, 05:29 PM IST

રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ તરલોચન સિંહે 2002ના ગુજરાત રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ રમખાણો સાબરમતી એક્સપ્રેસમાં થયેલી આગમાંથી ઉદ્ભવેલા ગુસ્સાનું પરિણામ હતા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિને સફળતાપૂર્વક સંભાળી હતી.

તરલોચન સિંહે ANI સાથે વાત કરતા કહ્યું :

“જો નરેન્દ્ર મોદીએ તેને સંભાળ્યું ન હોત તો ગુજરાત બળી ગયું હોત. કારસેવકોના મૃતદેહોને ગામોમાં લઈ જવા બદલે, તેમણે તાત્કાલિક ત્યાં જ અગ્નિસંસ્કાર કરાવવાનો નિર્ણય લીધો. આ નિર્ણયે ગુજરાતને વધુ મોટું સંકટમાંથી બચાવ્યું.”

“સરકારની કોઈ ભૂમિકા નહોતી”

તરલોચન સિંહે દાવો કર્યો કે આ રમખાણો 1984ના દિલ્હી રમખાણોની જેમ પ્રાયોજિત નહોતા.

“2002માં હું લઘુમતી આયોગનો અધ્યક્ષ હતો. રમખાણો પછી હું સૌથી પહેલા ત્યાં પહોંચ્યો હતો અને લોકો પાસેથી પૂછપરછ કરી હતી. આ ઘટના અંગે કોઈ પૂર્વનિયોજિત સબૂત મળી આવ્યો નહોતો,” એમ તેમણે કહ્યું.

“રમખાણો માત્ર અમદાવાદમાં મર્યાદિત રહ્યા”

તેમણે ઉમેર્યું કે નરેન્દ્ર મોદીના નિર્ણયો કારણે હુલ્લડો ફક્ત અમદાવાદ અને આસપાસના વિસ્તારો સુધી મર્યાદિત રહ્યા.

“જો મૃતદેહો ગામડાંઓ સુધી પહોંચ્યા હોત, તો ગુજરાતમાં ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હોત. મોદીની હિંમતના કારણે આખું રાજ્ય બચી ગયું.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
IPL 2026; 4 એપ્રિલે અમદાવાદમાં જામશે હાઇ-વોલ્ટેજ મેચ!
અમદાવાદ એરપોર્ટ 29 માર્ચથી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સનું ટર્મિનલ બદલાયું!
ગણોત ધારા હેઠળ જમીન ખરીદવાની મુદતમાં એક વર્ષનો વધારો!
હવે થશે વરસાદ અને વાવાઝોડાની સચોટ આગાહી
‘હું અબળા નથી, આદ્યશક્તિ છું’