logo-img
Suryakumar Yadavs Clear Stance On The Match Against Pakistan In The T20 World Cup 2026

પાકિસ્તાન સામેની મેચ પર Suryakumar Yadav નું સ્પષ્ટ વલણ! : IND-PAK મેચ પર સસ્પેન્સ, કહ્યું 'અમે રમવા તૈયાર છીએ'

પાકિસ્તાન સામેની મેચ પર Suryakumar Yadav નું સ્પષ્ટ વલણ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 05, 2026, 12:35 PM IST

T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ક્રિકેટ જગતમાં ભારે હલચલ મચી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પર અત્યારે અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મુંબઈમાં આ મુદ્દે ટીમ ઈન્ડિયાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે.

સૂર્યાનો સ્પષ્ટ સંદેશ

મુંબઈમાં આયોજિત 'કેપ્ટન્સ ડે' દરમિયાન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય ટીમની માનસિકતા એકદમ સ્પષ્ટ છે. તેમણે કહ્યું, "અમે રમવાની ના પાડી નથી. ICC ના શેડ્યૂલ મુજબ અમે સંપૂર્ણ તૈયાર છીએ. દિલ્હીમાં મેચ રમ્યા બાદ અમારી ટિકિટ કોલંબો માટે બુક છે. જો સામેની ટીમ રમવા નથી માંગતી, તો તે તેમનો અંગત નિર્ણય છે."

પાકિસ્તાનનો બહિષ્કાર અને કારણ

પાકિસ્તાન સરકારે આગામી 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાને આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો હોવાનું માનવામાં આવે છે. હકીકતમાં, સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશે પોતાની મેચો ભારતને બદલે શ્રીલંકામાં યોજવાની માંગ કરી હતી, જે ICC એ સ્વીકારી ન હતી અને બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું.

વિવાદની શરૂઆત, IPL અને બાંગ્લાદેશ

આ આખા વિવાદના મૂળમાં IPL અને મુસ્તફિઝુર રહેમાન છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં BCCI એ બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના બાદ બાંગ્લાદેશ અને ભારતના ક્રિકેટ સંબંધોમાં તણાવ આવ્યો, જેની અસર હવે વર્લ્ડ કપ પર જોવા મળી રહી છે.

બે દેશોમાં કેપ્ટન્સ ડે

આ વખતે વર્લ્ડ કપની તૈયારીઓ અનોખી રીતે થઈ રહી છે. કેપ્ટન્સ ડે બે અલગ-અલગ શહેરોમાં યોજાયો હતો. મુંબઈમાં ભારત, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સહિત 12 ટીમોના કેપ્ટન હાજર રહ્યા હતા. જ્યારે કોલંબોમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિત 8 ટીમોના કેપ્ટનો એકઠા થયા હતા.

ગંભીરની કોચિંગ હેઠળ નવું વાતાવરણ

સૂર્યાએ ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીરના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ગૌતમ ગંભીરના આવ્યા પછી ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ખૂબ જ હળવું અને પોઝિટિવ બની ગયું છે, જેનાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે.

ટુર્નામેન્ટના સ્થળો

આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા એમ બે દેશોમાં સંયુક્ત રીતે રમાશે.

ભારત : અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ.

શ્રીલંકા : કોલંબો (આર. પ્રેમદાસા અને SSC સ્ટેડિયમ) અને કેન્ડી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now