Surat Crime News : સુરત શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રત્ન ઉદ્યોગ સાથે જોડાયેલા એક યુવકે આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને ઘનશ્યામભાઈ રામોલિયા નામના રત્ન કલાકારે જીવનનો અંત લાવ્યો હતો.
રત્નકાલાકારે ચોથા માળના ટેરેસ ઉપરથી પડતું મૂક્યું
ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોએ અને પ્રાથમિક માહિતી અનુસાર, ઘનશ્યામભાઈ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા, જેના કારણે તેઓ ભારે આર્થિક તાણમાં હતા. આ ઉપરાંત તેઓ લાંબા સમયથી બીમારીથી પણ પરેશાન રહેતા હતા.
આર્થિક અને માનસિક તણાવ
બેરોજગારી અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓના કારણે માનસિક રીતે તણાવમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.






