શેરબજાર ખુલતાની સાથે જ નિફ્ટીમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો અને તે 24 હજારની નીચે પહોંચી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે અદાણી ગ્રુપના શેરના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યોં છે.
શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યોં છે, જેની અસર શુક્રવારે પણ જોવા મળી રહી છે. પરંતુ બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં વધારો જોવા મળ્યો હતો. અદાણી એનર્જીમાં 1.43 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.29 ટકા, એનડીટીવીમાં 1.21 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 2.96 ટકા, અદાણી પાવરમાં 2.94 ટકા, અદાણી ટોટલ ગેસમાં 1.19 ટકા, અદાણી વિલમારમાં 0.59 ટકા અદાણી પોર્ટ 0.61 ટકા, અંબુજા સિમેન્ટ 0.30 ટકાવારી અને એસીસીએસમાં 0.19 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો નિફ્ટીની વાત કરીએ તો તે 24 હજારની નીચે પહોંચી ગયો છે.
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે પણ શેરબજારો નબળા રહ્યા હતા અને FIIના દબાણ અને ભારતીય રૂપિયાના ઘટાડાને કારણે સપાટ ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ માત્ર 9 પોઈન્ટના વધારા સાથે 23,960.70 પોઈન્ટ પર ફ્લેટ ખુલ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 0.15 ટકા વધીને ખુલ્યો હતો. 79,335.48 પોઈન્ટ છે. નિષ્ણાતોના મતે યુએસ ફેડ દ્વારા રેટ કટ સાયકલમાં અણધાર્યા કાપથી વૈશ્વિક સ્તરે બજારોને આંચકો લાગ્યો છે. જો કે, હજુ પણ વર્ષના અંતે તેજીની શક્યતા છે પરંતુ FPIsના વેચાણને કારણે બજાર માટે ફરીથી તેજી કરવી મુશ્કેલ બની રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતીય બજારો હાલમાં વૈશ્વિક 'રિસ્ક-ઓફ'માંથી ફરીથી ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ આ અઠવાડિયે FPIsના વેચાણથી આ પ્રયાસને ભારે ફટકો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષના અંત સુધીમાં બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે. હાલમાં શેરબજારની સ્થિતિ ખૂબ જ નાજુક માનવામાં આવે છે.





















