અમદાવાદ શહેરના મેઘાણીનગર IGB કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
સુરતમાં એક જ પરિવારના 3 સભ્યો બકરી ઈદ મનાવવા લંડનથી સુરત આવ્યા હતા. અકિલભાઈ નાનાબાવા તેમના પત્ની હાના નાનાબાવા અને દિકરી સારા આ ફ્લાઈટમાં સવાર હતા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના 2 લોકોનું મોત થયું છે. જંબુસરના સોહેલ સલીમ પટેલ અને મુમતાઝ પાર્કના અલ્તાફ ભાઈનું પણ ઘટનામાં મોત થયું છે.
ગાંધીનગરનું એક દંપતી પણ પ્લેનમાં સવાર હતું. ગૌરવ બ્રહ્મભટ્ટ અને કલ્યાણી બેન બ્રહ્મભટ્ટનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે.






