Home National Solapur Property Dispute Incident Family Conflict Police Action

જમીન માટે સગા કાકા જ બન્યા કસાઈ : લાલચુ કાકાએ કુહાડીના ઘા ઝીંકી ભત્રીજા સહિત 3ની કરી હત્યા

Solapur Crime Case
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 10:28 AM IST

Solapur Crime Case: લાલચ માણસને કેટલી હદે અંધ બનાવી શકે છે તેનો જીવંત અને ભયાનક કિસ્સો સોલાપુરમાં સામે આવ્યો છે. અહીં મિલકત હડપ કરવાની ઘેલછામાં એક વ્યક્તિએ તેના જ પરિવારના ત્રણ સભ્યોની કુહાડીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી છે. પોલીસ તપાસમાં જે ખુલાસા થયા છે તે સાંભળીને પથ્થર દિલના માણસની પણ આંખમાં આંસુ આવી જાય તેમ છે. આ ઘટના માત્ર ગુનો નથી, પણ કળિયુગમાં લોહીના સંબંધો પર લાગેલું એક કલંક છે.

મિલકતનો વિવાદ અને લોહીની હોળી

પ્રાથમિક માહિતી મુજબ, સોલાપુર જિલ્લાના બોરામણી વિસ્તારમાં આ ઘટના બની હતી, જ્યાં એક વ્યક્તિએ પોતાના જ ભાઈના પરિવાર પર હુમલો કરી ત્રણ લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં એક મહિલા અને તેના બે સંતાનોનો સમાવેશ થાય છે. આરોપી કાકા અને તેના ભત્રીજા વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન અને મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીને ડર હતો કે જો તે અત્યારે પગલું નહીં ભરે તો મિલકત તેના હાથમાંથી જતી રહેશે. આ આશંકા અને લાલચે તેને એવો ઉશ્કેર્યો કે તેણે પોતાની નજર સામે ઉછરેલા ભત્રીજા અને તેના પરિવારને ખતમ કરવાનો પ્લાન ઘડી કાઢ્યો. ઘટનાના બાદથી મુખ્ય આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે.

વડોદરામાં સર્જાઈ મોટી હોનારત: બીચ પર ન્હાવા પડેલા 9 લોકો ડૂબ્યા, સ્વજનો ઘટનાસ્થળે પહોંચતા કરૂણ દ્રશ્યો સર્જાયા

મધરાતે ખેલાયો મોતનો ખૂની ખેલ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ગાયત્રી સુધાકર મસ્કે, તેની પુત્રી પ્રિયા મસ્કે અને પુત્ર શિવરાજ મસ્કેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ગામમાં શાંતિ અને ગુસ્સો બંને છવાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક ગાયત્રી મસ્કે અને મુખ્ય આરોપી શંકર ઉર્ફે પપ્પુ મસ્કે વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી જમીનના વિભાજનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મહત્વનું છે કે, ગાયત્રી મસ્કેએ આરોપીઓ પાસેથી આશરે 25 લાખ રૂપિયાની લોન પરત કરવાની પણ માંગણી કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે તણાવ વધી ગયો હતો. ગુરુવારે રાત્રે, વિવાદ એ હદ સુધી વધ્યો કે, આરોપીઓએ તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

ખાનગી કંપનીની બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર: પતરાં ચીરીને બસના ડ્રાઈવરને બહાર કઢાયો, ઘટનામાં 5 લોકો ઘાયલ

પોલીસ સમક્ષ આરોપીનો ચોંકાવનારો કબૂલાતનામું

ઘટનાની માહિતી મળતાં જ સોલાપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મુખ્ય આરોપી શંકર મસ્કે સહિત છ લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, ઘટના બાદથી મુખ્ય આરોપી ફરાર છે, અને તેને શોધવા માટે ઘણી પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક ગુના શાખા પણ આરોપીની શોધમાં લાગી ગઈ છે.

તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયનો પાવર: વિજય સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા છતાં સરકાર બનાવવાના ફાંફા, જાણો શું છે આખું ગણિત

આ અંગે માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ દેશપાંડેએ જણાવ્યું હતું કે, આરોપીને પકડવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સંબંધો અને મિલકતના વિવાદોમાં વધતા તણાવના ખતરનાક પરિણામોને ઉજાગર કર્યા છે. ગામમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટનાએ માનવીય સંબંધોને શરમજનક બનાવ્યા છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને સુરક્ષા કડક બનાવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now