દરિયામાં બે પ્રકારના જહાજ જતા હોય છે. એક મુસાફરોના પરિવહન માટે અને માલસામાનના પરિવહન માટે જહાજો દરિયામાં જતા હોય છે. ત્યારે જહાજની મુસાફરી માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પાલન કર્યા વગર દરિચયામાં જવું ખુબ જ ઘાતક સાબિત થતા હોય છે. જેમાં એક નિયમ હોય છે ઈંધણ માટે.
જહાજ બંધ થાય તો પણ તરતું રહે છે
ધારો કે તમે તમારી કારમાં ક્યાંક જઈ રહ્યા છો અને અચાનક ઈંધણ ખતમ થઈ જાય તો શું થશે? દેખીતી રીતે ગાડી ત્યાં જ રોકાઈ જશે. તેવી જ રીતે જો વિમાનમાં બળતણ ખતમ થઈ જાય તો તે જમીન પર તૂટી પડશે. પરંતુ જો સમુદ્રની વચ્ચે જહાજમાં બળતણ ખતમ થઈ જાય તો શું થશે? તમે વિચારી રહ્યા હશો કે પાણીમાં રહેલું વહાણ પણ ડૂબી જશે. જો કે આવું નથી.
જહાજની ડિઝાઈન હોય છે ખાસ
પાણીના જહાજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે બળતણ ખતમ થઈ જાય ત્યારે પણ તે પાણી પર તરતું રહે છે. પરંતુ આ એટલું સરળ નથી જેટલું લાગે છે. તમે તમારા જીવનમાં ક્યારેક હવાઈ મુસાફરી કરી હશે પરંતુ એવા બહુ ઓછા લોકો હશે જે વહાણમાં બેઠા હશે. પાણીના જહાજોનો ઉપયોગ ફક્ત લાંબી મુસાફરી માટે જ થતો નથી. પરંતુ તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં માલસામાનના પરિવહન માટે પણ થાય છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો વિશ્વનો 90 ટકા વેપાર ફક્ત શિપિંગ દ્વારા થાય છે.
આ સિદ્ધાંત પર જહાજો બનાવવામાં આવે છે
જળ જહાજો આર્કિમિડીઝના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. આ મુજબ પાણીમાં ડૂબેલી વસ્તુ પર લાગુ પડતું ઉપરનું બળ તે વસ્તુ દ્વારા વિસ્થાપિત પાણીના વજન જેટલું હોય છે. જોકે પાણીના જહાજો એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેમની ઘનતા પાણી કરતા ઘણી ઓછી થઈ જાય છે અને તેઓ તરતા રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો વહાણનું વજન તેના દ્વારા વિસ્થાપિત પાણીના વજન કરતા ઓછું હોય છે. જેના કારણે તે ક્યારેય ડૂબતું નથી અને પાણી પર તરતું રહે છે.
વહાણ ક્યારે ડૂબી જાય છે?
જ્યારે સમુદ્રમાં બળતણ ખતમ થઈ જાય છે ત્યારે જહાજો પાણી પર સ્થિર થઈ જાય છે અને મોજાઓ સાથે અહીં-ત્યાં ફરવા લાગે છે પરંતુ તેઓ ડૂબતા નથી. જોકે વહાણમાં પાણી પણ ટપકતું હોય છે જેને દૂર કરવા માટે પંપનો ઉપયોગ કરવો પડે છે. જો બળતણ ખતમ થઈ જાય ત્યારે આ પંપ પણ બંધ થઈ જાય છે. જેથી અમુક સમય માટે જહાજ ડૂબતું નથી. પરંતુ સમયની સાથે પાણીનો ભરાવ વધતો જાય છે ત્યારે જહાજ ડૂબવા લાગે છે.





















