Home Gujarat Shankaracharya Sadananda Saraswati Maharaj Spoke On The Issue Of Religious Conversion

'હિન્દુ શબ્દનો અર્થ નહીં સમજતા ત્યારે ધર્મપરિવર્તન કરે છે' : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે ધર્માંતરણ અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે શું કહ્યું?

'હિન્દુ શબ્દનો અર્થ નહીં સમજતા ત્યારે ધર્મપરિવર્તન કરે છે'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Dec 23, 2025, 09:33 AM IST

Shankaracharya Statement : પંચમહાલ જિલ્લાના ગોધરામાં પધારેલા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે ધર્માંતરણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટ અને ગંભીર નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનોને લઈ હાજર ભક્તોમાં અને સમાજમાં ચર્ચા જોવા મળી રહી છે.

'હિન્દુ ધર્મ છોડવાનું મુખ્ય કારણ...'

ધર્માંતરણના મુદ્દે બોલતા શંકરાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, “હિન્દુ ધર્મ આપણી પાસે આવ્યો છે તે આપણા માતા-પિતા પાસેથી આવ્યો છે. જેમ આપણે આપણા માતા-પિતા બદલી શકતા નથી, તેમ ધર્મને પણ બદલી શકાતો નથી.” તેમણે સ્પષ્ટ કહ્યું કે જે વ્યક્તિ સાચા અર્થમાં હિન્દુ છે, તેને ધર્માંતરણ કરવાની કોઈ જરૂર જ નથી. તેમના મતે, હિન્દુ ધર્મ છોડવાનું મુખ્ય કારણ એ છે કે ઘણા લોકોને હિન્દુ શબ્દનો સાચો અર્થ, હિન્દુ ધર્મની પદ્ધતિ અને હિન્દુ વિચારધારા સમજાતી નથી.

'હિન્દુ હોવાનું પ્રથમ લક્ષણ ગૌ માતાની સેવા'

શંકરાચાર્ય મહારાજે વધુમાં કહ્યું કે, 'જે ભોળા લોકો આ બાબતો સમજી શકતા નથી, તેમને મિશનરીઓ દ્વારા પ્રલોભન આપીને, ખાસ કરીને આદિવાસી સમાજને તાત્કાલિક લોભ આપી ભ્રમિત કરીને ધર્માંતરિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે હિન્દુ હોવાનું પ્રથમ લક્ષણ ગૌ માતાની સેવા છે, જે હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોને દર્શાવે છે'.

'વૃક્ષો કાપવા ન જોઈએ અને પર્વતો તોડવા પણ ન જોઈએ'

આ સાથે સાથે તેમણે અરવલ્લી પર્વતમાળા અને પર્યાવરણના મુદ્દે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે વૃક્ષો કાપવા ન જોઈએ અને પર્વતો તોડવા પણ ન જોઈએ, કારણ કે આ પ્રકૃતિના વિરુદ્ધ છે. જ્યારે મનુષ્ય પ્રકૃતિ સામે જાય છે અને તેની સાથે છેડછાડ કરે છે, ત્યારે ઈશ્વરનો પ્રકોપ મનુષ્યને ભોગવવો પડે છે, અને એના કારણે જ દેશમાં તથા વિશ્વમાં વિવિધ આપત્તિઓ આવે છે. શંકરાચાર્ય મહારાજે પ્રકૃતિને મનુષ્યનું જીવન ગણાવી કહ્યું કે પ્રકૃતિ જ આપણા પ્રાણ છે અને તેની રક્ષા થવી ખૂબ જરૂરી છે. પર્યાવરણને ક્યારેય અશુદ્ધ ન કરવું જોઈએ, કારણ કે પ્રકૃતિમાંથી જ આપણને પાણી, વાયુ અને અનાજ મળે છે. જો પ્રકૃતિ સુરક્ષિત રહેશે, તો જ માનવજીવન સુરક્ષિત રહેશે, એવો તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી: ગુજરાત સ્પેસ સેક્ટરમાં મોટું પગલું

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર