Home Entertainment Saayoni Ghosh Actress To Mp Political Journey

Saayoni Ghosh: અભિનેત્રીથી સાંસદ સુધી...! : કેવી રીતે મમતા બેનર્જીની નજીક આવ્યા અને પછી બન્યા બળવાખોર?

Saayoni Ghosh
Published by: Viral Patel
Last Updated: Jun 10, 2026, 12:05 PM IST

Saayoni Ghosh: બંગાળના રાજકારણમાં સાયોની ઘોષ એક એવું નામ છે જેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની જાતને એક અભિનેત્રીમાંથી રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે સ્થાપિત કરી છે. અભિનયની દુનિયાથી રાજકારણ સુધીની તેમની સફર ઘણી રસપ્રદ રહી છે. એક સમયે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના સૌથી ભરોસાપાત્ર નેતાઓમાં ગણાતા સાયોની ઘોષ હવે પાર્ટી સામેના બળવાને કારણે ચર્ચામાં છે.

નાની ઉંમરે અભિનય કારકિર્દીની શરૂઆત

સાયોની ઘોષે પોતાની કારકિર્દીની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે કરી હતી. વર્ષ 2010માં માત્ર 17 વર્ષની વયે તેમણે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે ટીવી અને ફિલ્મોમાં સતત કામ કર્યું અને ધીમે-ધીમે બંગાળના સાંસ્કૃતિક જગતનો એક જાણીતો ચહેરો બની ગયા. તેમની લોકપ્રિયતા માત્ર મનોરંજન જગત પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોમાં પણ તેમની સારી ઓળખ બની.

પળવારમાં બદલાયું દિલ્હીનું દૃશ્ય : આંધી-તોફાને ઉખાડ્યા વૃક્ષો, સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત

બંગાળી સિનેમા અને થિયેટરથી મળી ઓળખ

વર્ષ 2011માં સાયોની ઘોષે બંગાળી ફિલ્મ 'શત્રુ'માં નાની પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ તેમની કારકિર્દી માટે એક મોટો વળાંક સાબિત થઈ. આ ફિલ્મ પછી તેમને બંગાળી સિનેમામાં ઓળખ મળવા લાગી. ફિલ્મો ઉપરાંત તેમણે થિયેટરમાં પણ સક્રિય રીતે કામ કર્યું. થિયેટર દ્વારા તેમણે સામાજિક મુદ્દાઓ અને સાંસ્કૃતિક આંદોલનો સાથે જોડાયેલા લોકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી.

રાજકારણમાં એન્ટ્રી: મમતા બેનર્જીનો વિશ્વાસ કેવી રીતે જીત્યો?

લગભગ એક દાયકા સુધી એક્ટિંગની દુનિયામાં એક્ટિવ રહ્યા બાદ સાયોની ઘોષે રાજકારણમાં ડગ માંડ્યા. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસને એક યુવા અને લોકપ્રિય મહિલા ચહેરાની જરૂર હતી. સાયોની ઘોષ આ ભૂમિકા માટે યોગ્ય માનવામાં આવ્યા કારણ કે તેઓ પહેલેથી જ સમગ્ર બંગાળમાં જાણીતા હતા. આ કારણોસર ફેબ્રુઆરી 2021માં મમતા બેનર્જીએ તેમને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ કર્યા. પાર્ટીમાં જોડાતાની સાથે જ તેમને ઝડપથી મહત્વની જવાબદારીઓ મળવા લાગી.

Offbeat Explainer : 12 વર્ષનો ઐતિહાસિક માઈલસ્ટોન! મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા PM, જાણો સૌથી મોટી ઉપલબ્ધિઓ

2021ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય

TMCમાં જોડાયા બાદ પાર્ટીએ સાયોની ઘોષને આસનસોલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં પાર્ટી નેતૃત્વએ તેમના પર ભરોસો જાળવી રાખ્યો અને તેમની રાજકીય ભૂમિકા સતત વધતી ગઈ.

ત્રિપુરામાં ધરપકડ બાદ રાજકીય કદ વધ્યું

વર્ષ 2021માં ત્રિપુરાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સાયોની ઘોષ રાષ્ટ્રીય સ્તરે સુરખીઓમાં આવ્યા હતા. કહેવાય છે કે તેમણે ભાજપની એક સભા પાસેથી પસાર થતી વખતે "ખેલા હોબે"નો નારો લગાવ્યો હતો. આ પછી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી. જોકે, આ વિવાદ તેમની રાજકીય કારકિર્દી માટે નુકસાનકારક સાબિત થયો નહીં. તેના બદલે, આ ઘટના પછી તેમણે તૃણમૂલ કોંગ્રેસ નેતૃત્વનો વધુ વિશ્વાસ મેળવ્યો.

દિલ્હી રમખાણ કેસ 2020 : તાહિર હુસૈનની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે પોલીસનો માંગ્યો જવાબ

મમતા બેનર્જીએ સોંપી મોટી જવાબદારી

ત્રિપુરા પ્રકરણ બાદ સાયોની ઘોષની રાજકીય સક્રિયતા વધુ વધી. વર્ષ 2023માં મમતા બેનર્જીએ તેમને તૃણમૂલ કોંગ્રેસની યુવા પાંખ (યુથ વિંગ)ના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આ પાર્ટીની અંદર તેમના વધતા કદનો સંકેત માનવામાં આવતો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળના કથિત ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમની લગભગ દસ કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા હતા.

2024ની લોકસભા ચૂંટણીમાં બન્યા સાંસદ

સાયોની ઘોષના આક્રમક રાજકીય તેવર અને પાર્ટીમાં વધતા પ્રભાવને જોતા તૃણમૂલ કોંગ્રેસે તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં જાદવપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેમણે ચૂંટણીમાં જીત મેળવી અને પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા. આ પછી તેમની ઓળખ બંગાળના યુવા અને પ્રભાવશાળી નેતાઓમાં થવા લાગી.

ઇંધણ અને LPGના ભાવવધારા પર સરકારનો વિપક્ષને જવાબ : "વૈશ્વિક સંકટ છતા જનતા પર બોજ ન પડે તેનું મોદી સરકાર રાખે છે ધ્યાન", પેટ્રોલિયમ મંત્રીની સ્પષ્ટતા

મમતા બેનર્જીના નજીકના નેતા તરીકે ઓળખ

છેલ્લા પાંચ વર્ષમાં સાયોની ઘોષે પોતાની જાતને મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના નજીકના નેતાઓમાં સામેલ કરી હતી. પોતાના ભાષણોમાં તે અવારનવાર મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતા રહ્યા છે. અનેક પ્રસંગોએ તેમણે કહ્યું હતું કે તેઓ મમતા બેનર્જીને પોતાના રાજકીય આદર્શ માને છે. સાયોની ઘોષની કાર્યશૈલી અને સાર્વજનિક છબીમાં પણ મમતા બેનર્જીની ઝલક દેખાતી રહી છે. તેઓ ઘણીવાર મમતાની જેમ સાડી અને સાધારણ ચપ્પલ પહેરીને રાજકીય કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now