ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબત બોલાચાલી કરીને એક વ્યક્તિને ધમકી આપવામાં આવી હતી, જેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રાજકોટ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. બે દિવસ પહેલા અમરનાથ મંદિરના વિવાદમાં ધમકીની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા જાડેજાને પાસા હેઠળ અટકાયત કરાઈ ગતિ. ક્ષત્રિય સમાજના આંદોલન વેળાએ ચર્ચામાં રહેલા પીટી જાડેજા સાબરમતી જેલ હવાલે કરાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





