Vadodara: ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં કોંગ્રેસે ગિયર બદલી દીધો છે. આજે વડોદરામાં રાહુલ ગાંધીનો આદિવાસી સંવાદ કાર્યક્રમ માત્ર એક ઇવેન્ટ નથી- પણ ચૂંટણી પહેલા રાજકીય સંકેત છે, જે રાજ્યના મતદાન સમીકરણોને અસર કરી શકે છે.
વડોદરામાં આદિવાસી સંમેલન, સીધી વાતચીત પર ભાર:
લોકસભામાં વિરોધ પક્ષના નેતા Rahul Gandhi આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ “આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન”માં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યભરના આદિવાસી કાર્યકરો, મહિલાઓ, યુવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ જોડાયા છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજને અસર કરતી સમસ્યાઓ પર ચર્ચા કરવાનો છેજેમ કે શિક્ષણ, રોજગાર, જંગલ અધિકાર અને સામાજિક વિકાસ.
14% વસ્તી છતાં પ્રશ્નો યથાવત:
ગુજરાતમાં આદિવાસી સમુદાય આશરે 14% વસ્તી ધરાવે છે, છતાં તેઓ હજુ પણ શોષણ અને વિકાસના અભાવ જેવા મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે. આ સંદર્ભમાં કોંગ્રેસ આ સમુદાય સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ સમજવા અને ઉકેલ લાવવા પ્રયાસ કરી રહી છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસનો સ્ટ્રેટેજિક મૂવ:
આ મુલાકાત માત્ર સામાજિક કાર્યક્રમ નથી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાની જમીન મજબૂત કરવા માટે મેદાનમાં ઉતરી છે. માહિતી મુજબ, રાહુલ ગાંધી રાજ્યના નેતાઓ સાથે ચૂંટણી તૈયારીની સમીક્ષા પણ કરશે. પાર્ટીએ સ્ટ્રેટેજી, કેમ્પેઇન અને મેનેજમેન્ટ માટે અલગ-અલગ કમિટીઓ પણ બનાવી છે.
ભાજપના ગઢમાં એન્ટ્રીનો સંકેત:
વડોદરા પરંપરાગત રીતે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. એવા વિસ્તારમાં આ કાર્યક્રમ યોજવો કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આવનારી સ્થાનિક ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય ટક્કર થવાની શક્યતા છે. આદિવાસી મતદારો ઘણા વિસ્તારોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી કોંગ્રેસનો આ સીધો સંવાદ કાર્યક્રમ આવનારી ચૂંટણી માટે ગેમચેન્જર બની શકે છે.





