Home Gujarat Pm Narendra Modi 12 Years Governance Bhupendra Patel Gujarat

PM મોદીના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ : ગિફ્ટ સિટીથી બુલેટ ટ્રેન સુધી, જુઓ પ્રધાનમંત્રીના વિઝને કેવી રીતે બદલ્યું ગુજરાત?

Narendra Modi 12 Years
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jun 08, 2026, 05:10 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં તેમની વિકાસયાત્રા અને સુશાસનના વિવિધ પાસાઓની ચર્ચા થઈ રહી છે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતા વતી પ્રધાનમંત્રી પ્રત્યે આદરપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે છેલ્લા બાર વર્ષ દેશ માટે પરિવર્તન, પ્રગતિ અને ગરીબ કલ્યાણના અનેક નવા અધ્યાયોના સાક્ષી બન્યા છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે માત્ર આંતરિક વિકાસ જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2014થી શરૂ થયેલી આ યાત્રાએ દેશને નવી દિશા અને નવી ઊર્જા આપી છે. "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ"ના મંત્ર સાથે દેશના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના પરિણામે આજે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા દેશોમાં સ્થાન ધરાવે છે અને ‘વિકસિત ભારત @ 2047’ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય તરફ મક્કમ પગલાં ભરી રહ્યું છે.

ગુજરાત સાથેનું વિશેષ જોડાણ અને વિકાસનું મોડેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીનું ગુજરાત સાથેનું જોડાણ માત્ર રાજકીય નહીં પરંતુ ભાવનાત્મક પણ રહ્યું છે. એક સામાન્ય કાર્યકરથી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી સુધીની તેમની યાત્રા લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેમણે જણાવ્યું કે, પીએમ મોદીના સતત માર્ગદર્શન અને વિઝનના કારણે ગુજરાતે વિકાસનું એવું મોડેલ ઉભું કર્યું છે, જે આજે દેશ અને દુનિયા માટે પ્રેરણારૂપ બન્યું છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે થયેલા પરિવર્તનોએ ગુજરાતને વૈશ્વિક નકશા પર આગવી ઓળખ અપાવી છે.

ગિફ્ટ સિટીથી ધોલેરા સુધી બદલાયું ગુજરાતનું ચિત્ર

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરદાર સરોવર ડેમના સપનાને સાકાર કરવાથી લઈને ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR), સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ સુધી ગુજરાતે ઐતિહાસિક વિકાસનો માર્ગ અપનાવ્યો છે. આ પ્રોજેક્ટ્સ માત્ર રાજ્યના આર્થિક વિકાસ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ તેઓએ રોજગારી, રોકાણ અને વૈશ્વિક વ્યાપાર માટે નવી તકોનું સર્જન કર્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે ગુજરાત દેશના વિકાસ એન્જિન તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત રીતે નિભાવી રહ્યું છે.

આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં 20થી વધુ લોકોમાં ભૂત ધૂણ્યા: ધૂણતા ધૂણતા લોકોને મારવા લાગી મહિલા, Video જોઈ ફફડી જશો

જનકલ્યાણની યોજનાઓએ બદલ્યું કરોડો લોકોનું જીવન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ જન-ધન યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ડિજિટલ ઈન્ડિયા અને અન્ય જનહિતકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ યોજનાઓએ કરોડો ગરીબ અને વંચિત પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું છે. બેંકિંગ સુવિધાથી વંચિત લોકોને નાણાકીય વ્યવસ્થામાં જોડવા, ગરીબ પરિવારોને આરોગ્ય સુરક્ષા આપવી, મહિલાઓને ધુમાડામુક્ત રસોઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી અને ડિજિટલ સેવાઓને ગામડાં સુધી પહોંચાડવા જેવા પ્રયાસોએ વિકાસને વધુ સમાવેશી બનાવ્યો છે.

વિકાસ સાથે સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પીએમ મોદીએ માત્ર આધુનિક વિકાસ પર જ ભાર મૂક્યો નથી, પરંતુ દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણને પણ સમાન મહત્વ આપ્યું છે. ‘વિકાસ ભી ઔર વિરાસત ભી’ના સૂત્રને સાકાર કરતાં સોમનાથ, અંબાજી સહિતના તીર્થધામોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વડનગર મ્યુઝિયમ, લોથલ હેરિટેજ કોમ્પ્લેક્સ અને અન્ય સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સ્પેસથી સ્પોર્ટ્સ સુધી ભારતની વૈશ્વિક છાપ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે ભારતે અવકાશ સંશોધનથી લઈને રમતગમત સુધીના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશનોએ વિશ્વમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે, જ્યારે રમતગમત ક્ષેત્રે ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા અને નેતૃત્વ દેશના આત્મવિશ્વાસ અને પ્રગતિનું પ્રતિબિંબ છે.

આ પણ વાંચો: ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવા GPCBની ભૂમિકા નિર્ણાયક: વિકાસ સાથે સસ્ટેનેબિલિટી પર ભાર- અર્જુન મોઢવાડિયા

વિકસિત ભારતના સંકલ્પ માટે સહિયારા પ્રયાસોનું આહ્વાન

પીએમ મોદીના 12 વર્ષના કાર્યકાળને ઐતિહાસિક ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે તેમનો અથાક પરિશ્રમ, દૃઢ નેતૃત્વ અને દેશ પ્રત્યેનું સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણાનું સ્ત્રોત છે. ગુજરાતની જનતા વતી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતાં તેમણે રાજ્યના નાગરિકોને વિકસિત ભારત @ 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે સહિયારા પ્રયાસો કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વિકસિત ગુજરાતનું નિર્માણ જ વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની સૌથી મોટી શક્તિ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં: રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં