Home International Pm Modi Inaugurated 18 Railway Stations Of Gujarat Rejuvenated Under Amrit Station Scheme

પીએમ મોદીએ 18 રેલવે સ્ટેશનોનું લોકાપર્ણ કર્યું : અમૃત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 87 સ્ટેશનોનું પણ 6,303 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ

પીએમ મોદીએ 18 રેલવે સ્ટેશનોનું લોકાપર્ણ કર્યું
Published by: OBS Bureau
Last Updated: May 22, 2025, 01:42 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ અને તેમના વિઝનના પરિણામે, દેશને અમૃત સ્ટેશન યોજના ભેટમાં મળી છે. આ યોજના હેઠળ, દેશના 1300 થી વધુ સ્ટેશનોનું નવીનીકરણ અને પુનઃવિકાસ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના 87 સ્ટેશનોનું પણ 6,303 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં એક કાર્યક્રમમાં 164 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતમાં 18 પુનઃવિકસિત રેલ્વે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. અમૃત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરાયેલા લીંબડી રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સેવા કરવાની જવાબદારી સંભાળી છે, ત્યારથી તેમણે સેનાથી લઈને સામાન્ય માણસ સુધી દરેકની સુવિધા, સુખાકારી અને આરોગ્ય સુવિધાઓ માટે માળખાગત સુવિધાઓ અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રના નિર્માણ માટે એક અનોખા વિઝન અને સંકલ્પ સાથે, પ્રધાનમંત્રીએ રેલ્વેના કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓના નવા પરિમાણો શરૂ કર્યા છે.

અમૃત સ્ટેશન યોજના હેઠળ, ગુજરાતમાં 18 સ્ટેશનોના પુનર્વિકાસનું કાર્ય પૂર્ણ થયું છે અને જેનું પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે; તેમાં શિહોર જંકશન, ઉતરાણ, ડાકોર, દેરોલ, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ જંકશન, કરમસદ, કોસંબા જંકશન, લીંબડી, મહુવા, મીઠાપુર, મોરબી, ઓખા, પાલિતાણા, રાજુલા જંકશન અને સમઢીયાળી સ્ટેશનનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વિશ્વને બતાવ્યું છે કે જો લોકોની સારી સેવા કરવાની ઇચ્છાશક્તિ અને વિકાસની રાજનીતિ પ્રત્યે પ્રતિબદ્ધતા હોય તો સુશાસન દ્વારા રેલ્વે સેવાઓમાં કેવી રીતે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય છે.

આ પણ વાંચો: પીએમ મોદીની પાકિસ્તાનને કડક ચેતવણી : 'મોદીનું દિમાગ શાંત છે, પણ નસોમાં ગરમ ​​સિંદૂર વહે છે'

ગુજરાતમાં 97 ટકા રેલ્વે રૂટનું ઇલેક્ટ્રીફિકેશન

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મળેલી રેલ્વે સેવાઓ અને માળખાગત સુવિધાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ, 2014 થી રાજ્યમાં 3144 કિમી રેલ્વે લાઇનનું ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે. આ સાથે; ગુજરાતમાં 97 ટકા રેલ્વે રૂટનું ઇલેક્ટ્રીફિકેશન થઈ ગયું છે. એટલું જ નહીં; 2025-26ના રેલ્વે બજેટમાં ગુજરાત માટે 17,155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ફાળવણી 2009 થી 2014 ના પાછલા સમયગાળામાં ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતા 29 ગણી વધુ છે.

ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના વિઝન મુજબ દેશમાં સ્થાપિત વંદે ભારત ટ્રેનોના નેટવર્કમાં ગુજરાતને ચાર વંદે ભારત ટ્રેન ભેટમાં આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે દેશ અને દુનિયાના મુસાફરો વિશ્વના અગ્રણી પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર સુધી સરળતાથી પહોંચી શકે છે; આ માટે રેલ્વે સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી દ્વારા પુનઃવિકાસ પછી ગુજરાતમાં 18 સ્ટેશનોના ઉદ્ઘાટનથી રાજ્યમાં રેલ્વે સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓમાં વધુ સુવિધા મળશે.

સમારોહમાં ઉપસ્થિત રહેલા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના હેઠળ જૂના રેલ્વે સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. રેલ્વેમાં પણ, વિવિધ આધુનિક સુવિધાઓ અને નવી ટેકનોલોજીથી સજ્જ ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનો આનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં મોટાભાગની મુસાફરી રેલ્વે દ્વારા થાય છે, તેથી લોકોને મુસાફરી દરમિયાન કોઈ અસુવિધાનો સામનો ન કરવો જોઈએ; સરકાર દ્વારા આનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ રાજસ્થાનના બિકાનેરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પુનઃવિકસિત રેલ્વે સ્ટેશનોના ઉદ્ઘાટન સમારોહનું જીવંત પ્રસારણ ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું. મુખ્યમંત્રીએ લીંબડી રેલ્વે સ્ટેશન પર વિકસિત અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને સ્ટેશન વિશે માહિતી પણ મેળવી.

ડેપ્યુટી ચીફ વ્હીપ જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે.પરમાર, પ્રકાશભાઈ વરમોરા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, દિલીપભાઈ પટેલ, શંકરભાઈ દલવાડી, બાબાભાઈ ભરવાડ, અધિકારીઓ, જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, વિભાગીય રેલ્વે મેનેજર વિશ કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video